ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટો માટે ફાળવણીમાં જંગી વધારો થતાં આ વર્ષે રૂ.8743 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ વર્ષના અંદાજપત્રમાં જોગવાઈઓ અંગે મીડિયાને માહિતી આપતા કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક તથા આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, વર્ષ 2009-2014 દરમિયાન રૂ. 589 કરોડના વાર્ષિક સરેરાશ ખર્ચની સરખામણીમાં ગુજરાત માટેના ખર્ચમાં આશરે 15 ગણો વધારો થયો છે. મંત્રીએ માહિતી આપી હતી કે ગુજરાતમાં 30,826 કરોડની કિંમતના 2,948 કિમીને આવરી લેતા (નવા ટ્રેક) સહિત 42 પ્રોજેક્ટ ચાલુ છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે ગુજરાતના 87 સ્ટેશનોને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે, જેમાં અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, અસારવા, બારડોલી, ભચાઉ, ભક્તિનગર, ભાણવડ, ભરૂચ, ભાટિયા, ભાવનગર, ભેસ્તાન, ભીલડી, બીલીમોરા જંકશન, બોટાદ જંકશન, ચાંદલોડિયા, ચોરવાડ રોડ, ડભોઇ જંકશન, દાહોદ, ડાકોર, ડેરોલ, ધ્રાંગધ્રા, દ્વારકા, ગાંધીધામ, ગોધરા જંકશન, ગોંડલ, હાપા, હિંમતનગર, જામ જોધપુર, જામ વંથલી, જામનગર, જુનાગઢ જંકશન, કલોલ જંકશન, કાનાલુસ જંકશન, કરમસદ, કેશોદ, ખંભાળિયા, કીમ, કોસંબા જંકશન , લખતર, લીંબડી, લીમખેડા, મહેમદાવાદ ખેરા રોડ, મહેસાણા જંકશન, મહુવા, મણિનગર, મીઠાપુર, મિયાગામ કરજણ જંકશન, મોરબી, નડિયાદ જેએન, નવસારી, ન્યુ ભુજ, ઓખા, પડધરી, પાલનપુર જંકશન, પાલિતાણા, પાટણ, પોરબંદર, પ્રતાપ્નગર, રાજકોટ જંકશન, રાજુલા જંકશન, સાબરમતી બીજી, સાબરમતી એમજી, સચિન, સામખિયાળી, સંજાણ, સાવરકુંડલા, સાયનસિદ્ધપુર, સિહોર જંકશન, સોમનાથ, સોનગઢ, સુરત, સુરેન્દ્રનગર, થાન, ઉધના, ઉદવાડા, ઉમરગાંવ રોડ, ઊંઝા, ઉતરણ, વડોદરા, વાપી, વટવા, વેરાવળ, વિરમગામ, વિશ્વામિત્રીનો સમાવેશ થાય છે.
ટ્રેકના વિકાસની વાત કરીએ તો, 2009-14 દરમિયાન 132 કિમીની સરખામણીમાં 2014-2024 દરમિયાન 224 કિમી જ્યારે ગુજરાતમાં 2009-14 દરમિયાન માત્ર 13 કિમીની સરખામણીમાં 2014-24 દરમિયાન 300 કિમીનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે. વધુમાં, 2014 થી ગુજરાતમાં 989 રેલ ફ્લાયઓવર અને અન્ડર-બ્રિજ બનાવવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech