બિહારમાં નિમર્ણિાધીન પુલ તુટ્યો 30 કામદાર દબાયા, સાત ગંભીર

  • March 22, 2024 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહારના સુપૌલમાં નિમર્ણિાધીન પુલનું ગર્ડર તૂટી પડ્યું હતું જેના લીધે પુલ ધસી પડ્યો હતો જેમાં 30 કામદાર ફસાયા હોવાના પ્રાથમિક અહેવાલ છે જેમાંથી 7ની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. પુલ ધસી પડતા ઘટના સ્થળે નાસભાગ મચી જવા પામી હતી અને તાબડતોબ રાહત કાર્ય શરુ કરી દેવાયું હતું.આ પુલની લંબાઈ 10.5 કિલોમીટર છે. તે ભારત માલા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહ્યું છે. આ ઘટના સવારે સાત વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે.

બિહારના સુપૌલમાં આજે શુક્રવારે સવારે પુલનો ગર્ડર તૂટી પડ્યો હતો. આ ઘટના સવારે સાત વાગ્યાની આસપાસ બની હતી . આ ઘટનામાં 30 જેટલા મજૂરો દટાયા હોવાના સમાચાર છે. જો કે, તેની સંખ્યા હજુ સ્પષ્ટ નથી. આ દરમિયાન આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને ટીમ આવે ત્યાં સુધીમાં બચાવ કાર્ય શરુ કર્યું હતું. ઘાયલોમાં 7 કામદારની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. બ્રિજનું ગર્ડર ધરાશાયી થતા ભારે નાસભાગ મચી હતી. મળતી માહિતી મુજબ આ બ્રિજનું કામ ટ્રાન્સ રેલ કંપ્ની કરી રહી છે. કુલ 10.5 કિલોમીટરનો પુલ છે. તે ભારત માલા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહ્યું છે. આ પુલ સુપૌલના બાકોરથી મધુબની ભીજા સુધી બનવાનો છે.
ઘટના બાદ વરિષ્ઠ અધિકારીઓ પણ આવવા લાગ્યા છે. આ સમગ્ર મામલે સુપૌલ એસપીએ જણાવ્યું કે છ લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application