રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં ૨૭ નિર્દેાષ લોકોના મૃત્યુ નિપયા હતા. આ ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજી અને એડવોકેટ અમિત પંચાલ દ્રારા કરાયેલી રિટની શુક્રવારે સુનાવણી હાથ ધરી હતી. જેમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ફરી એકવાર રાજકોટના બે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરો આનદં પટેલ અને અમિત અરોરાની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. હાઈકોર્ટે બહત્પ માર્મિક ટકોર કરી હતી કે, 'આ બંને અધિકારીઓએ ખરેખર તો બધાની જાહેરમાં માફી માંગવી જોઈએ. તેમને આ કણાંતિકાને લઈ હૃદયથી પસ્તાવો અને દોષભાવ થવો જોઈએ.'
ગુજરાત હાઇકોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'જો તેઓએ(આ બંને મ્યુનિસિપલ કમિશનરોએ) આ બાબતમાં વ્યકિતગત ધ્યાન રાખ્યું હોત તો રાજકોટ ટીઆરપી અગ્નિકાંડની દુર્ઘટના બની જ ના હોત અને નિર્દેાષ લોકોમાં તેમાં માર્યા ગયા ના હોત.' હાઇકોર્ટે બંને મ્યુનિસિપલ કમિશનરોને નોટિસ જારી કરી તેમની આ મામલામાં કઈ રીતે જવાબદારી બનતી નથી તે મુદ્દે જવાબ માંગ્યો છે.
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે ભારે આલોચના કરતાં વધુમાં જણાવ્યું કે, 'એક મ્યુનિસિપલ કમિશનર (અમિત અરોરા) તો ગેમ ઝોનનાં ઉધ્ઘાટનમાં પણ ગયા હતા. તેના ફોટો વાઈરલ થયા છે. તેમાં કલેકટર પણ હતા. શું મ્યુનિસિપલ કમિશનરને આ ગેમ ઝોનના સ્ટ્રકચર વિશે ખ્યાલ ના આવ્યો. તેમણે શા માટે એલર્ટ ના કર્યા..?' તેઓએ શું આખં બધં કરી દીધી હતી? ખરેખર તેની તપાસ થવી જરી હતી. જેથી સરકારે ફરી એકવાર બચાવ કરવાનો પ્રયાસ કર્યેા કે, આ તેમની પરિવાર સાથેની અંગત મુલાકાત હતી.' ચીફ જસ્ટિસે સરકારને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'આ કઈં નાનો બનાવન ન હતો. તેઓ આમ કહી પોતાને નિર્દેાષ સાબિત કરી શકે નહીં. તેઓએ યારે મુલાકાત લીધી ત્યારે ગેમ ઝોનનું સંપૂર્ણ માળખુ તૈયાર હતું. આ એક સૌથી કમનસીબ બનાવ હતો અને વહીટવટીતત્રં ઉપર મોટા ધબ્બા સમાન છે. આ એક ખુબ જ દુ:ખદ બાબત છે, ત્યારે કમિટી તેમને શીરપાવ આપવાનો પ્રયત્નકરે છે. કમિટીના સભ્યો પણ અધિકારીઓ જ છે અને તેઓ પોતાના અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.'
સરકારે મ્યુનિસિપલ કમિશનરોનો બચાવ કરતાં પુનરોચ્ચાર કર્યેા કે, 'તેઓએ સત્તા તાબાના અધિકારીઓને આપી હતી અને તેમણે જાણ કરી નહોતી, તેથી તેઓને દોષી ના ગણી શકાય.' જો કે, ચીફ જસ્ટિસે આ બચાવને ફગાવતાં જણાવ્યું કે, 'તાબાના અધિકારીઓને સત્તા આપી દેવાથી જવાબદારી પૂરી થઇ જતી નથી. તેઓ કોર્પેારેશનના વડા હતા અને સમગ્ર મામલામાં ધ્યાન રાખવાની તેમની ફરજ અને જવાબદારી હતી.'
ચીફ જસ્ટિસે બંને મ્યુનિસિપલ કમિશનરોના વલણને લઈને પણ ઝાટકણી કાઢી હતી કે, 'આ બંને અધિકારીઓ (મ્યુનિસિપલ કમિશનર)ને કોઈ પસ્તાવાનો ભાવ જ નથી, તેઓ માફી માગવા પણ ઇચ્છુક નથી અને પોતાની જ બાબતને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ કરે છે. જો તેઓએ કાળજી રાખી હોત તો બનાવ અટકાવી શકાયો હોત. તેઓએ પોતાની વ્યકિતગત રીતે એફિડેવીટ ફાઈલ કરવી જોઈએ. જો તમારાથી કઈં ખોટું થયું હોત તો તમને દોષનો ભાવ થવો જોઇએ.'
હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, 'ટીઆરપી ગેમઝોનનું માળખું એક દિવસ કે થોડા મહિના નહીં, પરંતુ પૂરા બે વર્ષ સુધી ઊભુ રહ્યું હતું. આવા કોઇ એકાદ બે બનાવ નથી. સમગ્ર રાયમાં કયાંકને કયાંક કાયદાનો ભગં થઈ રહ્યો છે અને તે અવારનવાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech