ખંભાળિયામાં રઘુવંશી વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડાનું વિતરણ કરાયું

  • June 06, 2023 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોહાણા મિત્ર મંડળની વધુ એક સેવા પ્રવૃત્તિ

ખંભાળિયાની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા લોહાણા મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૩૭૦ રઘુવંશી વિદ્યાર્થીઓએ રાહત દરે ચોપડાનો લાભ લીધો હતો.
આ સેવાકાર્ય માટે જ્ઞાતિના દાતાઓનો સહયોગ સાંપળ્યો હતો અને આ આયોજન માટે લોહાણા મિત્ર મંડળની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. આ સેવાકાર્યની સફળતા બદલ લોહાણા મિત્ર મંડળના કાર્યકરો દ્વારા સર્વે રઘુવંશી જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
**
જામનગરમાં આવતીકાલે રાહતદરે ફુલ્સકેપ ચોપડાનું વિતરણ થશે
જામનગરમાં જુની આરામ કરવાની ખોડીયાર કોલોની જૂની આરામ ખોલવાની વિસ્તારમાં ચાલતા પ્રભુ શ્રી રામચંદ્ર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા આગામી તારીખ ૭ જૂન ૨૦૨૩  ના જ‚રતમંદ વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડા નું  રાહતદરે વિતરણ કરવામાં આવનાર છે. સાથે જ ધોરણ ૧૦ અને ધો. ૧૨ માં ૧ થી ૧૦ નંબરમાં પાસા થનાર  વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવશે. ખોડીયાર કોલોની ,મહેર સમાજની સામે રાજ્ય પુરરોહિત વિધાર્થી  ભવનમાં સાંજે ૫ થી ૭ દરમિયાન આ કાર્યક્રમ યોજાશે. વધુ વિગત માટે પ્રવિણસિંહ ચુડાસમા (મો. ૯૮૨૪૮ ૪૫૬૮૮ ) અથવા વિશાલભાઈ ખખર (મો. ૮૦૧૩૭ ૧૧૧૧૧ ) નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application