મોતિયાના ઓપરેશન માટે આવ્યા બાદ ગુમ થયેલા યુવકની લાશ મળી

  • December 27, 2023 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તળાજાના બોરલા ગામનો વતની યુવાન રાજકોટમાં મોતિયાના ઓપરેશન માટે આવ્યા બાદ ગુમ થઈ ગયો હતો. દરમિયાન નવાગામ રંગીલા સોસાયટી પાસેથી આ યુવાનની લાશ મળી આવી હતી. યુવાન નશાની હાલતમાં પડી જતા તેનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે યુવાનના મોતનું સચોટ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ, તળાજાના બોરલા ગામે રહેતા જીલુભાઈ છગનભાઈ પરમાર(ઉ.વ 45) દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમનોંધ લખવામાં આવી હતી કે, તા. 22/12 ના તેનો ભાઈ વના છગનભાઈ પરમાર (ઉ.વ 41)રાજકોટમાં રણછોડદાસ બાપુના આશ્રમમાં મોતિયાના ઓપરેશન માટે આવ્યો હતો અને ત્યારબાદ તે લાપતા થઈ ગયો હતો અને તેનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવતો હોય આ ગુમનોંધ લખાવી હતી. દરમિયાન નવાગામ રંગીલા સોસાયટી પાસેથી અજાણ્યા યુવાનનું મૃતદેહ મળી આવ્યો હતો.જેથી પોલીસે તપાસ કરતા આ મૃતદેહ લાપતા થયેલા વના પરમારનો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે યુવાનના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવાનને દારૂ પીવાની કુટેવ હોય અહીં આવ્યા બાદ નશાની હાલતમાં નવાગામ પાસે પડી જતા તેનું મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ યુવાનના મોતનું સચોટ કારણ ફોરેન્સિક પીએમ રિપોર્ટ બાદ માલુમ પડશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application