દરિયામાં અકસ્માતે પડી ગયેલા માચ્છીમારનો મળ્યો મૃતદેહ

  • April 01, 2025 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરથી ૪૦ નોટીકલ માઇલ દૂર અકસ્માતે માચ્છીમાર સમુદ્રમાં પડી ગયો હતો. જેનો મૃતદેહ મળી આવતા પરિવાર પર વજ્રઘાત થયો છે. 
પોરબંદરના દિલીપ ડાવરીયાએ નવીબંદર મરીન પોલીસમથકમાં એવું જાહેર કર્યુ છે કે મૂળ મહારાષ્ટ્ર અને હાલ સુભાષનગર રહેતો રોહિત સુરેશ પાંચલકર ઉ.વ. ૨૩ તા. ૬-૩ના ‘દેવ મહેશ’નામની ફિશીંગ બોટમાં માચ્છીમારી કરવા માટે નીકળ્યો હતો અને તા. ૨૨-૩ના તેમની બોટ પોરબંદરથી ૪૦ નોટીકલ માઇલ દૂર સમુદ્રમાં હતી ત્યારે અકસ્માતે રોહીત સમુદ્રમાં પડી ગયો હતો અને તેની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ અઠવાડીયા સુધી પત્તો મળ્યો ન હતો. ત્યારબાદ તા. ૩૦-૩ના તેનો મૃતદેહ મળી આવતા પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલે પી.એમ.ની કાર્યવાહી થઇ હતી અને આગળની તપાસ નવીબંદર મરીન પોલીસ ચલાવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application