સામાન્ય રીતે અકસ્માત કે અન્ય ગંભીર બીમારીમાં દર્દીને લોહીની જરૂર પડતી હોય છે અને બ્લડ બેન્કમાંથી બ્લડ લાવીને તેને ચડાવાતું હોય છે પણ તાજેતરમાં રાજકોટની લાઈફ બ્લડ સેન્ટરમાં એક અનોખો કિસ્સો આવ્યો હતો અને માતાના ગર્ભમાં રહેલા બાળકને લોહી ચડાવાયું હતું.માતાના ગર્ભમાં રહેલા બાળકને અમુક કારણોસર લોહીની ટકાવારી ઓછી થઈ જતી હોય છે. તે બાળકના માથામાં રહેલી એક નસ માં લોહીની અવર–જવરની ગતિ સોનોગ્રાફી વડે ખબર પડે છે. પછી વિવિધ પ્રકારના પરીક્ષણો પછી લોહી ચડાવવાનું ડોકટર નકકી કરે છે. બાળક અને માતાને જોડતી નાળમાં એક સ્પેશિયલ સિર્રીજથી આ લોહી ચડાવવાનું હોય છે.
આવો જ એક કિસ્સો લાઈફ બ્લડ સેન્ટરમાં આવ્યો હતો. જેમાં ગર્ભમાં રહેલા બાળકને લોહી ચડાવવાનું હતું. તબીબી ભાષામાં તેને ઈન્ટ્રાયુટેરીન ટ્રાન્સફયુઝન કહેવાય છે. આ બાળકને ગર્ભમાં કમળો અને લોહીની ટકાવારી ઓછી હતી. માતાના લોહીના સેમ્પલમાં અનઅપેક્ષિત એન્ટીબોડીની તપાસ થયેલ.બાળક અને માતાના લોહીના બધા જ પરીક્ષણો કર્યા પછી લાઈફ બ્લડ સેન્ટરના તબીબોએ તેને ઓ નેગેટીવ આઈઆર–એલડી–આરસીસી આપેલ હતું. ગર્ભમાં રહેલા લોહી ચડાવવાની પ્રક્રિયા બાદ બાળકના લોહીની ટકાવારીમાં સુધારો જાણવા મળ્યો હતો.
લાઈફ બ્લડ સેન્ટરના મેડિકલ ડિરેકટર ડો.સંજીવ નંદાણીના જણાવ્યા અનુસાર, એકસ–રે–બ્લડઈરેડિએટર નામનું અધતન મશીનની મદદથી ખૂબ ઓછી રોગ પ્રતિકારક શકિત ધરાવતા દર્દી, તાજા જન્મેલા બાળક, કેન્સરના દર્દી, અગં પ્રત્યારોપણ કરાવનાર દર્દીઓને પ્રક્રિયા પામેલું રકત ચડાવવું સલામત બન્યું છે.લાઈફ બ્લડ સેન્ટર પાસે ફલી ઓટોમેટેડ ટેકનોલોજી છે. જેના દ્રારા બધા રકતાદાતાનું બ્લડ ગ્રુપ અને એમના રકતમાં કોઈ એબ્નોર્મલ એન્ટીબોડી હોય તો તેની તપાસ કરવામાં આવે છે. આ માટે પણ આધુનિક ટેસ્ટીંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMસંઘર્ષ યુક્રેનનો હોય કે પશ્ચિમ એશિયાનો, તેની અસર થાય છે: જયશંકરે વ્યક્ત કરી ચિંતા
October 05, 2024 05:15 PMવંદે ભારત પર શા માટે થયો પથ્થરમારો? તપાસમાં મોટો ખુલાસો
October 05, 2024 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech