કેરળ, ઝારખંડમાં બર્ડ ફ્લૂના કેસ દેખાતા સ્વાસ્થ્ય મંત્રાલય સાવચેત બની ગયું છે અને ભારતમાં અને વૈશ્વિક સ્તરે - એવિયન ઈન્ફલ્યુએન્ઝા (બર્ડ ફ્લૂ) અને ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીઓ પર દેખરેખ વધારવાનું સૂચન કર્યું છે.નાના બાળકો અને વૃદ્ધોને મોસમી ઈન્ફલ્યુએન્ઝાના કિસ્સામાં સૌથી વધુ સંવેદનશીલ જૂથ તરીકે ઓળખવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું, તે મોસમી ઈન્ફલ્યુએન્ઝા અને બર્ડ ફ્લૂ બંનેના સંબંધમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યું છે; અને હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારોને એચ1એન1 કેસ સાથે કામ કરતા આરોગ્યસંભાળ કાર્યકરોની રસીકરણની ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું છે.
ભારતમાં, ઝારખંડ જેવા કેટલાક રાજ્યોમાં બર્ડ ફ્લૂ ફાટી નીકળ્યાના અહેવાલો છે. રાજ્યની રાજધાની રાંચીમાં, પ્રાદેશિક પોલ્ટ્રી ફાર્મના બે ડોકટરો અને છ સ્ટાફને અલગ રાખવામાં આવ્યા છે. નિવારક પગલાં તરીકે, અંદાજે 1,745 ચિકન, 450 બતક અને 1,697 ઈંડાનો સાવચેતીના પગલા તરીકે નિકાલ કરવામાં આવ્યો છે.
હાઇલી પેથોજેનિક એશિયન એવિયન ઈન્ફલ્યુએન્ઝા- જેને એએચ1એન1 વાયરસ કહેવાય છે - મુખ્યત્વે પક્ષીઓને ચેપ લગાડે છે પરંતુ તે મનુષ્યોમાં પણ સંક્રમિત થઈ શકે છે. ચેપગ્રસ્ત પક્ષીઓ અથવા દૂષિત વાતાવરણ સાથે નજીકનો સંપર્ક એ પ્રસારણનું મુખ્ય માધ્યમ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુએસએના વિવિધ રાજ્યોમાં પશુઓ અને દૂધમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ જોવા મળ્યાના અહેવાલો છે.આ પછી, વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રવિવારે આરોગ્ય સેવાઓના મહાનિર્દેશકની અધ્યક્ષતામાં એક વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સ મહારાષ્ટ્ર રાજ્ય સરકારના અધિકારીઓ સાથે હતી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ જણાવ્યું હતું કે, 2007 થી એએચ1એન1 વાયરસના માનવ-થી-માનવ ટ્રાન્સમિશનના કોઈ અહેવાલ નથી. વાયરસથી દૂષિત દૂધ પીવાથી મનુષ્યો માટેના જોખમને સમજવા માટે તપાસ ચાલુ છે. અધિકારીઓએ માત્ર પાશ્ચરાઇઝ્ડ દૂધના વપરાશની ભારપૂર્વક સલાહ આપી છે.સ્વાસ્થ્ય મંત્રાલયે તેની એડવાઈઝરીમાં કહ્યું છે કે, દૂધને ઉકાળવા અને માંસને યોગ્ય રીતે રાંધવા જેવી પ્રેક્ટિસ માનવમાં વાયરસના સંક્રમણને રોકવામાં મદદ કરશે.
બીજી બાજુ, મોસમી ફ્લૂના કેસ સાથે કામ કરવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને દર્દીઓનું વર્ગીકરણ, સારવાર પ્રોટોકોલ અને વેન્ટિલેટરી મેનેજમેન્ટ પરની પ્રક્રિયાઓ પ્રદાન કરવામાં આવી છે.એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ નેટવર્ક દ્વારા વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોસમી ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિ પર રિયલ-ટાઇમ આધારે નજર રાખી રહ્યું છે. જ્યારે મોસમી ઈન્ફલ્યુએન્ઝા વાઈરસને કારણે થતો તીવ્ર શ્વસન ચેપ છે; ઈન્ફલ્યુએન્ઝા એ અથવા એચ1એન1 નો પ્રથમ કેસ 2009 માં મળી આવ્યો હતો.દર વર્ષે, ભારતમાં મોસમી ઈન્ફલ્યુએન્ઝાના બે શિખરો જોવા મળે છે: એક જાન્યુઆરીથી માર્ચ સુધી અને બીજું ચોમાસા પછીની ઋતુમાં. અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં દેશના કોઈપણ ભાગમાં મોસમી ફ્લૂના કેસોમાં કોઈ અસામાન્ય ચિંતાજનક વધારો થયો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech