દુબઇથી આવેલા દંપતિને અમદાવાદ એરપોર્ટથી લઇને જામનગરના બે યુવકો પરત ફરતા ઘટના ઘટી : મહિલા અને એક યુવકને ઇજા
બાવળા-બગોદરા હાઇવે ફરી રકતરંજિત બન્યો છે, ભમાસરા પાટીયા પાસે ગઇકાલે સવારે અમદાવાદ એરપોર્ટથી જામનગર જઇ રહેલી કાર આગળ જતી ટ્રક પાછળ અથડાઇ હતી આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી જતા જામનગરના બેના ઘટના સ્થળે જ મોત થયા હતા જયારે મહિલા સહિત અન્ય એક વ્યકિતને ઇજા પહોચી હતી.
મુળ જામનગરના અને યુકેનું નાગરીત્વ ધરાવતા હિતેષભાઇ મનસુખભાઇ પટ્ટણી અને તેમના પત્ની રમાબેન હિતેષભાઇ પટ્ટણી સબંધીના લગ્નપ્રસંગમાં હાજરી આપવા દુબઇથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા, જેઓને લેવા માટે જામનગરથી હિતેષભાઇ વિજયભાઇ જોશી અને કુંજનભાઇ મુકેશભાઇ શુકલા કાર લઇને આવ્યા હતા, એરપોર્ટથી વહેલી સવારે પરત ફરતા બાવળા-બગોદરા હાઇવે પર આવેલા ભામસરા ગામના પાટીયા પાસે કારચાલક કુંજનભાઇને આગળ જઇ રહેલી ટ્રક નં. જીજે૫૨જીબી-૯૭૧૮ની પાછળ કાર અથડાવતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ ગમ્ખાવાર અકસ્માતમાં હિતેષભાઇ મનસુખભાઇ પટ્ટણી અને હિતેષભાઇ વિજયભાઇ જોશીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ હતું, જયારે રમાબેન અને કુંજભાઇને ગંભીર ઇજાઓ થવા પામી હતી, અકસ્માતની બગોદરા ૧૦૮ને જાણ થતા બંને ઇજાગ્રસ્તને બગોદરા સામુહીક આરોગ્ય કેન્દ્રમાં લાવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા બગોદરા પોલીસે ઘટના સ્થળે પહોચી ટ્રાફિક હળવો કરી બંને લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી.
***
મીઠાપુર નજીક કારની ઠોકરે બાઈક સવાર ઇજાગ્રસ્ત
મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા દાઉદ મામદભાઈ થૈયમ નામના ૨૧ વર્ષના મુસ્લિમ યુવાન થોડા દિવસ પૂર્વે પોતાની જી.જે. ૩૭ એલ ૬૯૯૪ નંબરની મોટરસાયકલ પર બેસીને આરંભડા જઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવી રહેલી જી.જે. એ.એમ. ૪૧૨૫ નંબરની મોટરકારના ચાલકે દાઉદ થૈયમના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જતા તેને ફ્રેક્ચર સહિતની ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જે અંગે મીઠાપુર પોલીસ મથકમાં ફોર વ્હીલર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech