જામનગરના બાઈક ચાલકને કારચાલકે ઠોકરે ચડાવી ઇજાગ્રસ્ત બનાવ્યા

  • April 08, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં અંબર સિનેમા રોડ પરથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહેલા વૈષ્ણવ વણિક વેપારીને એક કાર ના ચાલકે ઠોકરે ચડાવી ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજા પહોંચાડયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.



 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંબર ટોકીઝ સામેના વિસ્તારમાં રહેતા અને કાપડનો વેપાર કરતા ભરતભાઈ કુંવરિયા નામના વૈષ્ણવ વણિક વેપારી કે જેઓ પોતાનું બાઇક લઈને અંબર સિનેમા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી જી.જે. ૧૦ ડી.જે. ૪૪૯૭ નંબરની ટાટા પંચ કાર ના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં ભરતભાઈ ને ડાબા હાથમાં અને ડાબા પગમાં તેમજ માથાના ભાગે ફ્રેકચર સહિતની ઇજાઓ થઈ હતી, અને માથામાં ટાંકા લેવા પડ્યા હતા. તેઓની જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્ત વેપારીના પુત્ર દેવેન્દ્ર ભરતભાઈ કુંવારીયાએ સી ટી બી. ડિવિઝન પોલીસ મથકમાં કારચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application