ઈરાનમાં મોટી દુર્ઘટના : તીર્થયાત્રીઓની બસને નડ્યો અકસ્માત, 35ના મોત  

  • August 21, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




પાકિસ્તાનથી ઈરાક શિયા શ્રદ્ધાળુઓને લઈને જતી બસને મોટો અકસ્માત નડ્યો છે. જેમાં મધ્ય ઈરાનમાં શિયા શ્રદ્ધાળુઓથી ભરેલી બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. જેમાં 35 લોકોના મોત થયા. એક અંગે એક અધિકારીએ બુધવારે માહિતી આપી છે.




મળતી માહિતી અનુસાર, સ્થાનિક કટોકટી અધિકારી મોહમ્મદ અલી મલેકઝાદેહે જણાવ્યું હતું કે, આ દુર્ઘટના ઈરાનના યઝદ પ્રાંતમાં મંગળવારે રાત્રે થઈ હતી. મળતી માહિતી અનુસાર, બ્રેક ફેલ થવાને કારણે બસને અકસ્માત નડ્યો હતો.



અકસ્માતમાં 23 લોકો ઈજાગ્રસ્ત



અલી મલેકઝાદેહે જણાવ્યું કે, આ અકસ્માતમાં અન્ય 18 લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સમયે બસમાં 51 લોકો સવાર હતા. તમામ યાત્રાળુઓ અરબાઈનની યાદમાં ઈરાકની મુલાકાત લઈ રહ્યા હતા, જે 7મી સદીના શિયા સંતના મૃત્યુના 40મા દિવસે મનાવવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application