ભારતીય ટીમને મોટો ફટકો... વિરાટ કોહલી આગામી બે ટેસ્ટ પણ નહીં રમે!

  • February 07, 2024 08:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈંગ્લેન્ડ સામે 5 મેચની હોમ ટેસ્ટ સિરીઝ રમી રહેલી ભારતીય ટીમને મોટો ફટકો પડવા જઈ રહ્યો છે. પ્રથમ બે મેચમાંથી બહાર રહેલો વિરાટ કોહલી હજુ પણ બ્રેક પર રહી શકે છે. કોહલીનો આ બ્રેક લંબાઈ શકે છે અને તે શ્રેણીની આગામી બે ટેસ્ટ મેચમાંથી પણ બહાર રહી શકે છે.


ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડ સામે 5 મેચની હોમ ટેસ્ટ સિરીઝ રમી રહી છે. પ્રથમ બે મેચ બાદ સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે. જ્યારે છેલ્લી 3 મેચ માટે ભારતીય ટીમની જાહેરાત હજુ બાકી છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિરાટ કોહલી પણ શ્રેણીની આગામી બે ટેસ્ટ મેચમાંથી બહાર રહી શકે છે.


ESPNcricinfoએ પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે. તેમના મતે કોહલી વ્યક્તિગત કારણોસર ફરી એકવાર આગામી બે મેચમાંથી બહાર રહેશે. તમને જણાવી દઈએ કે, પ્રથમ બે મેચ બાદ સીરીઝ હાલમાં 1-1 થી બરાબર છે.



કોહલી શ્રેણીની છેલ્લી મેચ રમશે

જ્યારે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની છેલ્લી 3 મેચો માટે ભારતીય ટીમની જાહેરાત થવાની બાકી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રમાશે. આ મેચ રાજકોટમાં યોજાશે. આ પછી ચોથી મેચ રાંચીમાં રમાવાની છે. શ્રેણીની આ ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રમાશે. જ્યારે શ્રેણીની છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચ 7 માર્ચથી રમાશે. આ મેચ ધર્મશાલામાં યોજાવાની છે. મળતા અહેવાલો પ્રમાણે વિરાટ કોહલી આ છેલ્લી મેચમાં વાપસી કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application