જસદણ પંથકમાં સતત બીજા દિવસે દુષ્કર્મની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.અહીં રહેતી ૨૦ વર્ષીય યુવતી પર ઘરે દાણ જોવા આવેલા ભુવાએ તારા પર મેલુ છે તેનો ઉતાર કરવો પડશે તેના માટે તારી મારી સાથે શરીર બાંધવો પડશે કહી તેના વારંવાર દુષ્કર્મ આચયુ હતું.બાદમાં આ શખસ યુવતીને મોટી બહેનને ભગાડી જતા તેની શોધખોળ કરતા ભાળ મળી ન હતી.બાદમાં યુવતીએ પોતાની સાથે બનેલી આ આપવીતી પરિવારને જણાવતા માતા–પિતા ચોંકી ગયા હતાં.બાદમાં તેમણે આ અંગે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે ગુનો નોંધી મૂળ વિસનગર પંથકના આ ભુવાને ઝડપી લેવા અને કબજામાંથી યુવતીની મોટી બહેનને મુકત કરાવવા તપાસ હાથ ધરી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ,જસદણમાં રહેતી ૨ વર્ષીય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે વિસનગરનો વતની અને હાલ જસદણ રહેતો રોહિત રણછોડભાઇ મોરીનું નામ આપ્યું છે.યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,આરોપી રોહિતના મામા જસદણમાં રહેતા હોય જેથી તે અહીં તેના મામાના ઘરે રહેતો હતો તે રાવળદેવ હોય અને દાણા જોવાનું કામ કરતો હોવાથી યુવતીના પરિવારજનોએ તેને દાણા જોવા માટે તેને ઘરે બોલાવ્યો હતો.
દરમિયાન આ શખસને તકનો લાભ ઉઠાવી યુવતીને કહ્યું હતું કે,તારા પર મેલું છે તેનો ઉતાર કરવો પડશે તેના માટે તારી મારી સાથે શરીર સંબધં બાંધવો પડશે અને જો તું શરીર સંબધં નહીં બાંધે તો માતાથી ક્રોધિત થઇ જશે તેમ કહ્યું હતું.આમ કહી તા. ૧૫૮૨૦૨૩ થી તા.૩૧૧૦૨૦૨૩ ના સમયગાળા દરમિયાન યુવતી પર ત્રણથી વધુ વખત દુષ્કર્મ આચયુ હતું.જોકે બદનામીના ડરથી યુવતીએ આ વાત જે તે સમયે કોઇને કહી ન હતી.
દરમિયાન પખવાડીયા પૂર્વે રોહિત મોરી યુવતીની મોટી બહેનને ભગાડી ગયો હતો.જે અંગેની જાણ પરિવારને થતા તેમણે પોલીસને જાણ કરી હતી.અને રોહિતને શોધવા માટે પરિવાર વિસનગર ગયો હતો.પણ અહીં રોહિત કે દીકરીનો કોઇ પતો લાગ્યો ન હતો.આ સમયે યુવતી રડવા લાગતા તેના માતા–પિતાએ તેને રડવાનું કારણ પુછતા તેણે આપવીતી કહી હતી.જે સાંભળી માતા–પિતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી.બાદમાં તેમણે જસદણ પરત ફરી દીકરીને હિંમત આપી આ ફરિયાદ કરાવી હતી.જેના આધારે જસદણ પોલીસે આરોપી સામે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.આ અંગે જસદણ પોલીસ મથકના પીઆઇ તપન જાનીની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.ડી.વાઘેલા તથા તેમની ટીમે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech