દેવપુર-રણુજામાં આગામી ૧૨મી સપ્ટેમ્બરથી આયોજન
જામનગર તા ૩, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વોડીસાંગ દેવપુર (નવા રણુજા) માં આગામી તા ૧૨મી સપ્ટેમ્બરથી ૩ દિવસ (નોમથી અગિયારસ) માટે લોકમેળાનું ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેનો કાલાવડ સહિત ના ગ્રામ્ય વિસ્તારના લોકોને ઈંતજાર હતો, જે મેળા ના ધંધાર્થીઓએ ૬ સપ્ટેમ્બર સુધીમાં અરજીઓ જમા કરાવવાની રહેશે.
આ વર્ષે ભારે વરસાદને કારણે જામનગર અને રાજકોટ સહીતના લોકમેળાઓ જન્માષ્ટમીના પર્વ પર મોકૂફ રહ્યા હતાં, જેને કારણે ગ્રામ્ય વિસ્તારોના લાખો લોકો મેળા માણવાની મોજથી વંચિત રહ્યા હોય, જેને કારણે વિવિધ ગ્રામ્ય વિસ્તારોના લોકમેળાઓ અંગે લોકોમાં ભારે ઉતેજનાઓ જોવા મળી રહી છે.
આગામી ભાદરવા સુદ નોમ, દશમ અને અગિયારસના ૩ દિવસ માટે તા. ૧૨ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન, કાલાવડ તાલુકાના વોડીસાંગ દેવપુર ગામે નવા રણુંજાના લોકમેળાઓ યોજાનાર હોય, અત્યારથી સમગ્ર કાલાવડ તાલુકામાં આ લોકમેળાઓને લઈ લોકોમાં અને ધંધાર્થીઓમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. જે ધંધાર્થીઓ આ લોકમેળાઓમાં ધંધો કરવા ઈચ્છતા હોય તેઓ પાસેથી તા. ૬ સપ્ટેમ્બર સુધીમાં વોડીસાંગ દેવપુર ગ્રામ પંચાયતના વહીવટદાર દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે.
આ લોકમેળાઓ માટે જે અરજદાર ધંધો કરવા ઈચ્છતા હોય તેઓ જ અરજી કરી શકશે, લોકમેળાઓમાં જગ્યાઓ માટેની હરરાજી તથા ડ્રો તા. ૮મી એ મામલતદાર કચેરીએ મીટિંગ હોલમાં સવારે અગિયાર વાગ્યે યોજાવાની છે. જગ્યાઓ માટેના અરજી ફોર્મ સાથે ધંધાર્થીઓએ વિવિધ લાયસન્સ માટેની અરજીઓ અલગથી કરવાની રહેશે. આ લોકમેળાઓના પાર્કિંગ પ્લોટ અને યાંત્રિક પ્લોટ વગેરેના ભાડાં પેટે પંચાયતને સારી એવી રકમ મળશે એમ માનવામાં આવે છે કારણ કે, વિવિધ પ્લોટસના ભાડાંની અપસેટ પ્રાઈઝ સારી એવી રાખવામાં આવી હોવાનું આ માટેની જાહેરાત પરથી દેખાઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech