ભાણવડ સ્થિત બાપુની વાવ પાસે ત્રિકમાચાર્ય આશ્રમ ખાતે ભાણવડ તાલુકા પેન્શનર મંડળનું સ્નેહમિલન યોજાયું હતું.
જામનગર પેન્શનર મંડળના પ્રમુખ બૂચ, લાલપુરના નવલસિંહ, જામ જોધપુરથી જમનભાઈ વડાલીયા, રાણાવાવથી મહેન્દ્રભાઈ ઠાકર, દ્વારકાથી ડો. જેઠવા વિગેરેની સાથે આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ મિલનમાં પેન્શનર મંડળની નવી કારોબારીની રચના તેમજ હોદ્દેદારોની સર્વાનુમતે માટે નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ભાણવડ બ્રહ્મ સમાજના અગ્રણી તેમજ નિવૃત્ત આચાર્ય ડો. રમેશભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ તરીકે મગનભાઈ જોશી, મહામંત્રી તરીકે વસંતભાઈ પરમાર, સહમંત્રી તરીકે સુભાષભાઈ સિહોરા સાથે કારોબારી સભ્યો વજુભાઈ જાવીયા, કે.કે. સાપરીયા, વી.એલ. ભટ્ટ, ગંભીરસિંહ વાળા, વજશીભાઈ, દિલુભા જાડેજા, ધીરુભાઈ લાઠીયા વિગેરેની સર્વ સંમતિથી વરણી કરાઈ હતી.
નવા વરાયેલા પ્રમુખ ડો. રમેશભાઈ ભટ્ટ દ્વારા પેન્શનરોના તમામ પ્રશ્નો અંગે ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech