બાબા રામદેવની પતંજલિને કોર્ટમાં 50 લાખ જમા કરાવવાનો નિર્દેશ

  • July 11, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યોગગુરુ બાબા રામદેવની કંપ્ની પતંજલિ આયુર્વેદને કોર્ટમાં 50 લાખ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટે કંપ્નીને ટ્રેડમાર્કના ઉલ્લંઘન બદલ આ આદેશ જારી કર્યો છે.
બોમ્બે હાઈકોર્ટે ટ્રેડમાર્ક ઉલ્લંઘન કેસમાં બાબા રામદેવની કંપ્ની પતંજલિ આયુર્વેદ લિમિટેડને 50 લાખ રૂપિયા જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટના વચગાળાના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કોર્ટે આ નિર્દેશ જારી કર્યો છે. કોર્ટે પતંજલિને કપૂર સંબંધિત ઉત્પાદનોના વેચાણ અને જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો હતો. મંગલમ ઓર્ગેનિક લિમિટેડની અરજીની સુનાવણી બાદ આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કંપ્નીએ અરજીમાં દાવો કર્યો હતો કે કોર્ટના આદેશ છતાં પતંજલિએ પોતાની પ્રોડક્ટ્સ વેચી છે.જસ્ટિસ રિયાઝ છાગલાએ પતંજલિની એફિડેવિટ પર વિચાર કયર્િ પછી જોયું કે તેણે 30 ઓગસ્ટ, 2023ના કોર્ટના આદેશનો અનાદર કર્યો છે, જેને સહન કરી શકાય નહીં. તેથી પતંજલિ કોર્ટમાં 50 લાખ રૂપિયા જમા કરાવવા આદેશ કરાયો છે . કોર્ટે આ કેસની આગામી સુનાવણી 19 જુલાઈના રોજ રાખી છે. આ પહેલા પતંજલિના ડિરેક્ટર રજનીશ મિશ્રાએ આ મામલે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. જેમાં તેણે બિનશરતી માફી માંગી હતી અને કોર્ટના આદેશનું પાલન કરવાની ખાતરી આપી હતી. એફિડેવિટ અનુસાર, કોર્ટના સ્ટે બાદ રૂ. 49,57,861ની કિંમતનો કપૂર ઉત્પાદન સપ્લાય કરવામાં આવ્યો હતો.
એફિડેવિટ સબમિટ કરવાની સૂચના
આ પહેલા સુપ્રીમ કોર્ટે પતંજલિને એફિડેવિટ દાખલ કરવા કહ્યું હતું. આમાં, કંપ્નીએ જણાવવાનું રહેશે કે ઉત્તરાખંડ સરકારે જે 14 ઉત્પાદનો માટે કંપ્નીનું લાયસન્સ સસ્પેન્ડ કર્યું હતું તેની જાહેરાતો પાછી ખેંચી લેવામાં આવી છે કે નહીં. ઉત્તરાખંડ રાજ્ય લાઇસન્સિંગ ઓથોરિટીએ 15 એપ્રિલે લાયસન્સ સસ્પેન્ડ કયર્િ હતા. જો કે, બાદમાં આ પુન:સ્થાપિત કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application