બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર હટાવ્યા બાદ હિન્દુઓ સહિત અન્ય લઘુમતીઓ પર અત્યાચારો થઈ રહ્યા છે. તેઓ બચવા માટે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ પણ સરહદ પર એવી તસવીરો સામે આવી હતી કે લોકો સરહદ પાર કરીને ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હવે, ત્રિપુરામાં આંતરરાષ્ટ્ર્રીય સરહદ પર, બાંગ્લાદેશની એક ૧૩ વર્ષની હિન્દુ છોકરી કથિત રીતે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી. બોર્ડર સિકયોરિટી ફોર્સ (બીએસએફ )એ તેને રોકવાનો પ્રયાસ કર્યેા, પરંતુ ફાયરિંગમાં તેનું મોત થયું.
પ્રા અહેવાલ અનુસાર, ઘટનાના ૪૫ કલાક બાદ મંગળવારે મોડી રાત્રે બીએસએફએ બાંગ્લાદેશી બાળકીનો મૃતદેહ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી)ને સોંપ્યો હતો. તેણીની ઓળખ ૧૩ વર્ષની સ્વર્ણ દાસ તરીકે થઈ હતી. બીએસએફના કથિત ગોળીબારમાં તેનું મોત થયું હતું. મૃતદેહને સોંપવાની પુષ્ટ્રિ કરતા કુલૌરા પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારી બિનય ભૂષણ રોયે જણાવ્યું હતું કે જરી કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ મૃતદેહ યુવતીના પરિવારને પરત કરવામાં આવ્યો હતો. બીજીબી સેકટર કમાન્ડન્ટ લેટનન્ટ કર્નલ મિઝાનુર રહેમાન શિકદારે જણાવ્યું હતું કે કિશોરીને બીએસએફના જવાનોએ ગોળી મારી હતી યારે તે અને અન્ય લોકો રવિવારની રાત્રે કુલૌરા ઉપલામાંથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
શિકદારે કહ્યું કે પરિસ્થિતિનો સામનો કરવા માટે બીજીબી અને બીએસએફ વચ્ચે લેગ મીટિંગ બોલાવવામાં આવી હતી. યુવતીની ઓળખ ૧૩ વર્ષીય સ્વર્ણ દાસ તરીકે થઈ છે, જે પશ્ચિમ જુરી યુનિયનના જુરી ઉપજિલ્લા હેઠળના કાલનિગર ગામના રહેવાસી પોરેન્દ્ર દાસની પુત્રી છે. પોરેન્દ્રએ કહ્યું કે સ્વર્ણા અને તેની માતા ત્રિપુરામાં રહેતા તેમના મોટા પુત્રને મળવા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેને બે સ્થાનિક દલાલોની મદદ મળી હતી. યારે તેઓ રવિવારે રાત્રે લગભગ ૯ વાગે ભારતીય સરહદ પર પહોંચ્યા ત્યારે બીએસએફ જવાનોએ ગોળીબાર શ કરી દીધો, જેના કારણે સ્વર્ણનું તાત્કાલિક મોત થયું. સ્વર્ણાની માતા ગોળી લાગવાથી બચી ગઈ હતી. આ દુ:ખદ ઘટનાથી રોષ ફેલાયો છે અને સરહદી વિસ્તારમાં કડકાઈ વધારી દેવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech