ભારતમાં રમાતી આંતરરાષ્ટ્રીય અને IPL મેચો દરમિયાન મેદાનમાં 'તમાકુ' અને 'ગુટખા'ની જાહેરાતો વારંવાર જોવા મળે છે. બોર્ડ આ જાહેરાતોમાંથી સારી કમાણી કરે છે. પરંતુ જે રિપોર્ટ સામે આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે હવે સ્ટેડિયમમાં બતાવવામાં આવતી 'તમાકુ' અને 'ગુટખા'ની જાહેરાતો બંધ થઈ શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય આ જાહેરાતોની સામે પગલા ભરવાની યોજના બનાવી રહ્યું છે.
મે મહિનામાં બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અને વૈશ્વિક આરોગ્ય સંસ્થા વાઇટલ સ્ટ્રેટેજિસના અભ્યાસમાં જણાવાયું છે કે 2023માં સ્મોકલેસ તમાકુ (SLT) બ્રાન્ડ્સ માટેની તમામ સરોગેટ જાહેરાતોમાંથી 41.3% ક્રિકેટ વર્લ્ડ કપ માટે હશે. છેલ્લી 17 મેચો દરમિયાન બતાવવામાં આવી હતી.
એક અહેવાલ મુજબ, હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય બીસીસીઆઈને મેદાન પર તમાકુની જાહેરાત રોકવા માટે કહેવાનું વિચારી રહ્યું છે. જેમાં કોઈપણ સેલિબ્રિટી દ્વારા પ્રચાર કરવામાં આવતી જાહેરાતોને રોકવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં નામ ન આપવાની શરતે એક સ્ત્રોતને ટાંકવામાં આવ્યું છે કે યુવાઓમાં ક્રિકેટ મેચો ખૂબ જ લોકપ્રિય છે. એવા ઘણા કિસ્સા છે જેમાં ક્રિકેટ મેચ દરમિયાન સરોગેટ સ્મોકલેસ તમાકુની જાહેરાતો પ્રદર્શિત કરવામાં આવે છે અને તે પરોક્ષ રીતે આકર્ષિત કરે છે. યુવા આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક (DGHS) બીસીસીઆઈને પત્ર લખીને કોઈપણ સ્વરૂપમાં તમાકુની જાહેરાતો બતાવવાનું બંધ કરવા વિનંતી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે ODI વર્લ્ડ કપ ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ છે. ભારતે 2023માં જ ODI વર્લ્ડ કપની યજમાની કરી હતી. આવી મોટી ટુર્નામેન્ટમાં તમાકુ કે ગુટખાની જાહેરાતો યુવાનો પર વધુ અસર કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech