આયુષ્માનમાં ૭૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોનો પણ સમાવેશ

  • September 12, 2024 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રીય કેબિનેટે એક મોટો નિર્ણય લીધો છે. હવે ૭૦ વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધો આયુષ્માન ભારત યોજનાનો લાભ લઈ શકશે. આ અંતર્ગત તેમને ૫ લાખ પિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો મળશે. કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત યોજનામાં મોટા ફેરફારો કર્યા છે. અગાઉ આ યોજનામાં તમામ વર્ગના વડીલોનો સમાવેશ થતો ન હતો.
હવે ૭૦ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો આ યોજનાનો લાભ લઈ શકશે. આ યોજના હેઠળ તમે ૫ લાખ પિયા સુધીની મફત સારવાર મેળવી શકાય છે.
હવે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનામાં ૭૦ વર્ષ અને તેથી વધુ વયના વૃદ્ધોનો સમાવેશ કરવામાં આવશે. સરકારે કહ્યું કે આ પગલાથી લગભગ ૪.૫ કરોડ પરિવારોને ફાયદો થશે. આ પરિવારોમાં ૬ કરોડ વૃદ્ધો છે. તેમને પરિવારના આધારે ૫ લાખ પિયા સુધીનો મફત સ્વાસ્થ્ય વીમો મળશે.
કેબિનેટની બેઠક બાદ અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે ૭૦ વર્ષથી વધુ ઉંમરના તમામ વરિ નાગરિકોને આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય  યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આયુષ્માન ભારત યોજના હેઠળ પહેલાથી જ આવરી લેવામાં આવેલા પરિવારોના વરિ નાગરિકોને . ૫ લાખ સુધીનું વધારાનું ટોપ–અપ કવર આપવામાં આવશે.
(અનુ. નવમા પાને



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application