આડાસંબંધની શંકા રાખી મારમારતા યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

  • May 31, 2024 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બેડીપરા ફાયર બ્રિગેડ પાસે વાલ્મિકીવાસમાં રહેતા યુવાન પર આડા સબંધની શંકા રાખી તેને માર મારતા આ બાબતે લાગી આવતા યુવાને ઝેરી દવા પી લીધી હતી. આ મામલે યુવાનના પિતાની ફરિયાદ પરથી પોલીસે પરિણીતાના પતિ અને તેના સંબંધી સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



બનાવની જાણવા મળતી વિગતો મુજબ,બેડીપરા ફાયર બ્રિગેડ પાસે વાલ્મિકી વાસમાં રહેતા મનસુખ મોહનભાઈ ગોહેલ(ઉ.વ ૬૦) દ્રારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે વી કિશોરભાઈ વાઘેલા અને પીન્ટુ ગોરીના નામ આપ્યા છે.
મનસુખભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે સફાઈ કામ કરતા હોય તેમજ તેનો પુત્ર શૈલેષ મોહનભાઈ ગોહેલ(ઉ.વ ૪૦) પણ સફાઈકામદાર છે. શૈલેષ જે વિસ્તારમાં સફાઈ કામ કરતો હોય ત્યાં જ આરોપી વી વાઘેલા અને તેની પત્ની પણ સફાઈ કામદાર હોય બંને વચ્ચે પ્રેમ સંબધં હોવાની તેના પતિ વીને શંકા હોય આ બાબતે અગાઉ ઝઘડો કર્યેા હતો. જેથી શૈલેષ વીની પત્ની પાસે રાખડી પણ બંધાવી લીધી હતી.
તેમ છતાં સંબધં હોવાની શંકા રાખી ગઈકાલે ગડની ગરબી ચોક પાસે વાતચીત કરવાના બહાને બોલાવી વી અને તેના બનેવી પિન્ટુ ગોરીએ મળી શૈલેષને મારમાર્યેા હતોજે બાબતનું લાગી આવતા તેણે ઝેરી દવા પી લીધી હતી. વૃદ્ધની ફરિયાદ પરથી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application