દિલ્હીમાં જળ સંકટને લઈને ભૂખ હડતાળ પર બેઠેલા જળ મંત્રી આતિશીની તબિયત ગઈકાલે મોડી રાત્રે બગડી હતી. જે બાદ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને પાર્ટીના અન્ય નેતાઓ અને કાર્યકરો મોડી રાત્રે આતિષીને લોક નાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલના ડોક્ટરો પાસે લઈ ગયા હતા.
દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું, આતિશીનું બ્લડ શુગર લેવલ રાતથી ઘટી રહ્યું હતું. જ્યારે અમે તેના બ્લડ સેમ્પલ આપ્યા ત્યારે સુગર લેવલ 46 હતું. જ્યારે અમે પોર્ટેબલ મશીન વડે તેનું શુગર લેવલ ચેક કર્યું તો લેવલ 36 હોવાનું બહાર આવ્યું હતું. હાલ તેને હોસ્પીટલમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ છે. આપ સાંસદ સંજય સિંહે કહ્યું, તેમનું બ્લડ શુગર લેવલ 43 પર પહોંચી ગયું છે. તેમની તબિયત લથડી છે. ડોક્ટરોએ કહ્યું કે જો તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં નહીં આવે તો તેની હાલત વધુ બગડી શકે છે. છેલ્લા પાંચ દિવસથી આતિશીએ કંઈ ખાધું નથી. તેનું શુગર લેવલ ઘટી ગયું છે, કીટોન્સ વધી રહ્યું છે અને બ્લડ પ્રેશર ઘટી રહ્યું છે. તે પોતાના માટે નથી લડી રહી, તે દિલ્હીના લોકો માટે, પાણી માટે લડી રહી છે.
આતિશીએ ચાર દિવસ પછી 2.2 કિલો વજન ઘટાડ્યું. ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી છે. લોકનાયક હોસ્પિટલના ડોક્ટરોએ આતિષીના સ્વાસ્થ્યની તપાસ કરી હતી. તપાસ બાદ ડોક્ટરોએ જણાવ્યું કે મંત્રીનું વજન ઘટી રહ્યું છે. તેમની હાલત ખરાબ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ પરંતુ મંત્રીએ ઉપવાસ સમાપ્ત કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે 21 જૂનથી દિલ્હીના લોકોને હરિયાણામાંથી તેમના હકનું પાણી મળી રહે તે માટે જળ મંત્રી આતિશી અનિશ્ચિત સમયના ઉપવાસ પર બેઠા છે. ડોક્ટરોએ જણાવ્યું કે 21 જૂને ઉપવાસ પર જતા પહેલા તેમનું વજન 65.8 કિલો હતું. ઉપવાસના ચોથા દિવસે તે ઘટીને 63.6 કિલો થઈ ગયું છે. ચાર દિવસમાં બ્લડ સુગર લેવલમાં 28 યુનિટનો ઘટાડો થયો છે. તેમનું બ્લડ પ્રેશર પણ ઘટી ગયું છે. ડોક્ટરોએ તેને ખતરનાક ગણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMજુઓ પોરબંદરમાં 50 ફૂટ ઊંડા કૂવામાંથી કઈ રીતે બચાવાયો સાપનો પરિવાર
July 04, 2024 06:01 PMજુઓ પોરબંદરના બંગડી બજારમાં પોલીસ શા માટે દોડી ગઈ
July 04, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech