રાજકોટના શહેરીજનો માટે હરવા ફરવાનું નવું સ્થળ એવું અટલ સરોવર આવતીકાલે તા.1 ઓગસ્ટથી ફરી ખુલું મુકાશે. લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાશે પરંતુ એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ્સ બંધ રહેશે. વિશેષમાં આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, આગામી પવિત્ર શ્રાવણ માસના તહેવારોને ધ્યાને લઈ રાજકોટના શહેરીજનો તથા આસપાસના વિસ્તારોના નાગરિકો નવું નજરાણું અટલ સરોવરની મુલાકાત લઇ અભિભૂત થાય તે હેતુસર અટલ સરોવર મુલાકાતીઓ માટે હરવા ફરવા તેમજ નિહાળવા માટે આવતીકાલ તા.1-8-2024 ને ગુરૂવારથી ફરી ખુલું મુકવા નિર્ણય કરાયો છે. અલબત્ત અટલ સરોવરમાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્કની વિવિધ રાઇડ્સ બંધ જ રહેશે.
અટલ સરોવરના લોકાર્પણ બાદ સરોવરની મુલાકાતે નાગરિકોનો મોટા પ્રમાણમાં ધસારો જોવા મળ્યો હતો પરંતુ, શહેરમાં નાના મવા રોડ પાસે આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ આગની દુર્ઘટના બાદ રાજ્ય સરકારની સુચના અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવર મુલાકાતીઓ મુલાકાત માટે સંપૂર્ણ બંધ રાખવા નિર્ણય કરાયો હતો. રાજકોટના નવા નજરાણા સમું અટલ સરોવર નિહાળવા માટે પદાધિકારીઓએ શહેરીજનોને અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech