અશ્વિની વૈષ્ણવની જાહેરાત : કૃષિ ક્ષેત્રે 14,000 કરોડ રુપિયાની સાત યોજનાઓને કેબિનેટે આપી મંજુરી

  • September 02, 2024 04:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કેન્દ્રીય કેબિનેટે સોમવારે કૃષિ ક્ષેત્રને લગતી સાત મોટી યોજનાઓને મંજૂરી આપી છે. સરકાર આ યોજનાઓ પર લગભગ 14,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ યોજનાઓમાં રૂ. 2,817 કરોડનું ડિજિટલ કૃષિ મિશન અને પાક વિજ્ઞાન માટે રૂ. 3,979 કરોડની યોજનાનો સમાવેશ થાય છે.




વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે કેબિનેટ દ્વારા આ નિર્ણયોને લીલી ઝંડી આપવામાં આવી છે.




કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂ. 2,291 કરોડના એક કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, પશુધનના ટકાઉ સ્વાસ્થ્ય અને તેમના ઉત્પાદન માટે રૂ. 1,702 કરોડની યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.



આ સિવાય કેબિનેટે બાગાયતના ટકાઉ વિકાસ માટે 860 કરોડ રૂપિયાની બીજી મોટી યોજનાને લીલી ઝંડી આપી છે. આ સિવાય કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને મજબૂત કરવા માટે રૂ. 1,202 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ત્યારે કુદરતી સંસાધનોના સંચાલન સાથે સંબંધિત યોજના પર 1,115 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. તમામ સાત યોજનાઓમાં કુલ રૂ. 13,960 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application