ઉદ્ધવ ઠાકરેએ CM શિંદેની તસવીર પર જૂતાં મારતાં, સંજય નિરુપમ થયા ગુસ્સે, કહ્યું- 'આ તુચ્છતા માટે...'

  • September 02, 2024 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા સંજય નિરુપમે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયા સાઈટ 'X' પર એક તસવીર શેર કરતા સંજય નિરુપમે લખ્યું કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીની હરકતો જુઓ, બંધારણના શપથ લીધા બાદ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન પ્રતિષ્ઠિત પદ પર રહેલા નેતાઓની તસવીરો પર જૂતાં મારી રહ્યા છે. સંસ્કારી મહારાષ્ટ્રની આ પરંપરા નથી.


તેઓ બંધારણના શપથ લીધા બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના પ્રતિષ્ઠિત પદ પર રહેલા નેતાઓની તસવીરો પર ચંપલ મારી રહ્યા છે.

સંસ્કારી મહારાષ્ટ્રની આ પરંપરા નથી.


સંજય નિરુપમે આગળ લખ્યું, "વિરોધી પક્ષને વિરોધ કરવાનો બંધારણીય અને લોકતાંત્રિક અધિકાર છે પરંતુ ખરાબ કામ કરવાનો નહીં. કોંગ્રેસ કેટલી અસંસ્કૃત બની ગઈ છે તે તસવીરમાં દેખાઈ આવે છે. શું આ તેમના પ્રેમની દુકાન છે?  આ તુચ્છતા માટે મહારાષ્ટ્ર તેમને ક્યારેય માફ નહીં કરે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application