કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ કરી સ્પષ્ટતા, ભાજપમાં જોડાવવાની ચર્ચાને આપ્યો રદિયો

  • January 24, 2024 08:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ ભાજપમાં જોડાવાના સમાચાર મામલે સ્પષ્ટતા કરી છે. તેને કહ્યું કે ભાજપમાં જોડાવવાનો નથી. હું કોંગ્રેસમાં જ છું,પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું, ભાજપમાં જોડાવવાની વાત આધાર વિનાની છે.


લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નવી-જુનીના એંધાણ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા ભાજપમાં જોડાવવાના હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. 


"હું કોંગ્રેસમાં જ છું અને પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું"

કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ટ્વિટર એટલે કે એક્સ પર જણાવ્યુ કે ઘણી ચેનલો દ્વારા મારા ભાજપમાં જોડાયા હોવાની વાતો કરવામાં આવી રહી છે. જેનો કોઈ આધાર નથી. હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલો ધારાસભ્ય હોવાની વાત કરી હતી. આમ ભાજપમાં જોડાવાની વાતને આફવા ગણાવી છે. કહ્યું કે મારા ખુલાસા વગર મીડિયામાં મારા ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો કરવામાં આવી રહી છે. જે તમામ વાતો પાયાવિહોણી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application