જસદણના ઘેલા સોમનાથ નજીક ઇકોકારએ બાઇકને ઠોકરે લેતા પીપરડી (આલા ખાચર)ના યુવકનું ગંભીર ઇજા થવાથી રાજકોટ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. યુવક કનેસરા ગામેથી કૌટુંબિકની લૌકીક ક્રિયામાંથી પરત ફરતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ જસદણના પીપરડી ગામે રહેતો હિતેષ રમેશભાઈ પરમાર (ઉ.વ.25)નો યુવક ગત સાંજે પોતાનું બાઈક લઈનેકનેસરાથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે ઘેલા સોમનાથ નજીક પુરપાટ ઝડપે આવતી ઇકોકારએ બાઈકને ઠોકરે લેતા યુવક બાઈક સમેત રોડ પર ફંગોળાતા ગંભીર ઇજા થવાથી પ્રથમ જસદણ બાદ રાજકોટ મેડીકેર હોસ્પિટલ અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર હિતેષ બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને સંતાનમાં એક પુત્ર છે. પોતે ખેત મજૂરી કામ કરતો હતો. કનેસરા ગામે કૌટુંબિક પરિવારમાં અવસાન થયું હોવાથી તેની લૌકિક ક્રિયાના કામે જઈ પરત ફરતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી નાસી જનાર ઇકો ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતના સુદર્શને પાકિસ્તાની મિસાઈલને ધૂળ ચટાડી
May 08, 2025 04:15 PMભારતીય સેનાએ કરેલી એરસ્ટ્રાઇકના પગલે જિલ્લા પોલીસ સર્તક
May 08, 2025 04:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech