દરેક યુવતી ઈચ્છે છે કે તેના ચહેરાની સાથે તેના શરીરની બાકીની ત્વચા પણ ચમકતી રહે. રાસાયણિક બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ તમારી ત્વચાને ડ્રાય કરી શકે છે અને એવું બની શકે છે કે તેની અસર તેનો ઉપયોગ કરો ત્યાં સુધી જ રહે છે અને પછી ત્વચા પહેલાની જેમ શુષ્ક અથવા તૈલી બની જાય છે.
તેથી ઘરેલું ઉપાયથી ત્વચા ચમકદાર બનાવી શકાય છે. આ ધરેલું ઉપાય અપનાવો જેથી ચહેરાની સાથે સાથે તમારા શરીરના દરેક ભાગને ચમકદાર બનાવશે અને તમારી ત્વચા માખણ જેવી નરમ બની જશે.
આ બે ખાસ વસ્તુઓ શું છે?
રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે, જે આપણી ત્વચાને સાફ કરવાની સાથે તેને ચમકદાર અને ખીલ મુક્ત બનાવવામાં પણ મદદ કરે છે.
સ્ક્રબ બનાવવા માટે શું જરૂરી છે?
મસુર દાળ - 8 ચમચી
ચોખા - 8 ચમચી
કાચું દૂધ - 1/2 વાટકી
આ રીતે સ્ક્રબ તૈયાર કરો
સૌ પ્રથમ, 8 ચમચી મસુર દાળ અને ચોખાને સારી રીતે ધોઈ લો પછી તેને તડકામાં અથવા પાણી શોષી લેનારા કપડા પર સૂકવો અને 1 કલાક માટે રાખો. ત્યાર બાદ જ્યારે બંને વસ્તુઓ સુકાઈ જાય ત્યારે તેને મિક્સરમાં પીસી લો.પછી, એક ચારણી લો અને પાવડરને સારી રીતે ગાળી લો અને તેને એર ટાઇટ ડબ્બામાં રાખો.
તમે ચહેરા, ગરદન, હાથ અને પગ સહિત તમારા આખા શરીરને સાફ કરવા માટે આ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો.
હવે જ્યારે પણ નહાવા જાવ અથવા ચહેરા પર સ્ક્રબ કરવા માંગતા હોવ તો એક બાઉલમાં કાચું દૂધ લો.દૂધમાં 2 ચમચી ગુલાબી મસુર દળ અને ચોખાનો પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો. 5 મિનિટ પછી, ચહેરા અને ગરદન પર હળવા હાથે સ્ક્રબ ઘસો અને પછી તેને બીજી 5 મિનિટ માટે રહેવા દો પછી, સ્નાન કરી લો.
ત્વચા માટે મસૂરના ફાયદા
આ ગુલાબી રંગની દાળ ચહેરા પર સુંદર ચમક આપે છે. તે આપણી ત્વચાને એક્સ્ફોલિએટ કરીને, ડેડ સેલ્સ દૂર કરીને તેને પોષણ આપવાનું કામ કરે છે. ત્વચા પર તેનો ઉપયોગ કરવાથી શરીરના જૂના ડાઘ અને નિશાન પણ સાફ કરી શકાય છે.
ચોખાના સ્ક્રબના ફાયદા
કેમિકલ સ્ક્રબ કરતાં હોમમેઇડ રાઇસ સ્ક્રબ અનેક ગણું વધુ ફાયદાકારક છે, જે આપણી ત્વચામાંથી બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સને સાફ કરવામાં, તેલને કંટ્રોલ કરવામાં અને ચહેરા પર ખીલ અને પિમ્પલ્સને રોકવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે આપણા ચહેરા પર ચમક લાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech