ગેમઝોન અગ્નિકાંડના આરોપીઓને વકીલ નહીં મળતા ટ્રાયલમાં વધુ એક મુદત પડી

  • September 10, 2024 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના ટીઆરપી ગેમઝોન અિકાંડની ગોઝારી દુર્ઘટના મામલે પકડાયેલા ૧૫ આરોપી સામે ચાર્જશીટ મુકાઇ જતા કેસ સેશન્સ કમિટ થયાની પહેલી મુદતમાં કેટલાક આરોપીઓએ વકીલો રોકવા સેશન્સ કોર્ટમાં માગેલી મુદત મુજબ આજે થયેલી સુનાવણીમાં આરોપીઓને હજી પણ વકીલ નહીં મળવા બાબતે કોર્ટે આગામી તા.૨૪ના રોજ કેસની ટ્રાયલ ચલાવવા મુકરર કરી છે.
આ અંગેની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ ૨૮ ૫૨૦૨૪ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકો ભડથું થઇ થઈ ગયાના દેશભરમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી સહિત વિવિધ મંજૂરીઓમાં જુદાં જુદાં તત્રં દ્રારા ગેમ ઝોનના ભાગીદારો સાથે સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવને ગંભીરતાથી લઇ રાય સરકાર દ્રારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવ્યા બાદ ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર અધિકારીઓ વગેરે ૧૫ શખ્સો સામે તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ બાદ કેસ સેશન્સ કમિટ થયા બાદ ૩ સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં પ્રથમ સુનાવણી હતી. તેમાં કુલ ૧૫ પૈકીના કેટલાક આરોપીઓ દ્રારા વકીલ રોકવાના બાકી હોવા બાબતે સમય માંગવામાં આવ્યો હતો.
આ ઉપરાંત જમીન માલિક અશોકસિંહ જાડેજા અને આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેરની જામીન અરજી સંદર્ભે તારીખ ૩ સપ્ટેમ્બરની હવામાનની પરિસ્થિતિમાં બે વકીલો પહોંચી શકયા ન હતા, તેમજ તપાસનીશ પોલીસ દ્રારા ઇલેશ ખેરની થયેલી જામીન અરજી સંદર્ભ સોગંદનામુ કરવાનું બાકી હોવાથી સંયુકત રીતે સમય માંગવામાં આવ્યો હતો.
જે અનુસંધાને અદાલત દ્રારા પક્ષકારોની સાથે ચર્ચા વિચારણા કરીને આજે તા.૧૦ મી સપ્ટેમ્બરના રાખવામાં આવેલી સુનાવણીમાં પણ કુલ ૧૫ આરોપીઓ પૈકી માત્ર ચાર વકીલોએ જ આજે સેશન્સ કોર્ટમાં તમામ ૧૧ આરોપીઓને હજી પણ વકીલો નહીં મળ્યા હોય, આરોપીઓએ વકીલ રોકવા વધુ એક મુદત માંગી હતી. જેને પગલે કોર્ટે તમામ આરોપીઓને વકીલ રોકવા ખાસ સૂચના આપી હતી. જેથી અિકાંડને ટ્રાયલ આગામી તા.૨૪ના ચલાવવા વધુ એક મુદત પાડી છે. યારે જમીન માલિક અશોકસિંહ જાડેજા અને આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેરની જામીન અરજી માટેની આજની મુદતમાં પોલીસ દ્રારા સોગંદનામું રજૂ કરી દેવાયું હતું. પરંતુ આરોપી અશોકસિંહ જાડેજાએ તેની આંખની મુશ્કેલી સબબ તબીબી સર્ટિફિકેટ રજુ કરવા મુદત માગી હતી, આથી જામીન અરજીમાં આગામી ૧૮ સપ્ટેમ્બરની મુદત પડી છે.
આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને કારોબારી સભ્ય અજયસિંહ ચૌહાણ રોકાયા છે


૧૫ આરોપીમાં માત્ર ચારને વકીલ મળ્યા
ટીઆરપી ગેમ ઝોન અિ કાંડમાં નોંધાયેલા ૧૫ આરોપીઓ સામેના ગુનાની ટ્રાયલમાં ૧૧ આરોપીઓને હજી વકીલ મળ્યા નથી. વકીલ રાખી લીધા છે, તેમાં મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ઇલેશ વલ્લભભાઈ ખેર, અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજા વગેરે ૪નો સમાવેશ થાય છે, યારે અન્ય ૧૧ આરોપીઓ ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહત્પલ લલિતભાઈ રાઠોડ, નીતિન મહાવીરપ્રસાદ લોઢા, મહેશ અમૃતભાઈ રાઠોડ, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત અસમલભાઈ વિગોરા, ભીખુ જીવાભાઈ ઠેબા વગેરે હજી સુધી વકીલ રોકી નહી શકતા આજની ટ્રાયલમાં મુદત માંગવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application