પ્રયાગરાજના મહાકુંભ મેળામાં સ્નાન કરીને પરત ફરતી વખતે એક માતાએ અંતિમશ્વાસ લીધા હોવાની કરુણ ઘટના સામે આવી છે. ગોધરા શહેરના રહેવાસી કોમલબેન ઠાકર તેમના 76 વર્ષીય માતા હંસાબેન ઠાકરને કુંભમેળામાં લઈ ગયા હતા. પુત્રીએ શ્રવણકુમારની જેમ માતાની ધાર્મિક યાત્રાની ઈચ્છા પૂર્ણ કરવા માટે આ યાત્રા કરાવી હતી.
કોમલબેન અને તેમની માતાએ પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા બાદ અયોધ્યા, છૈપેયા અને કાશી જેવા પવિત્ર સ્થળોની મુલાકાત લીધી હતી. યાત્રા પૂર્ણ કરી તેઓ ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યા હતા. વડોદરાથી ગોધરા જવા માટે ઇકોવાનમાં મુસાફરી દરમિયાન અચાનક હંસાબેનનું અવસાન થયું હતું.
વતન ગોધરા ટ્રેન મારફતે આવી રહ્યા હતા
કોમલબેન ઠાકર સાથે વાત કરતા જાણવા મળેલી વિગત મુજબ, કોમલબેન ઠાકર પોતાની માતાને પ્રયાગરાજના કુંભમેળામાં સ્નાન કરવા માટે લઈ ગયા હતા, જ્યાં તેઓ અલગ-અલગ ધાર્મિક સ્થળોએ ફરી પરત પોતાના વતન ગોધરા ટ્રેન મારફતે આવી રહ્યા હતા.
ચા પીધા બાદ 'ઓમ નમઃ શિવાય' કહી ઊંઘી ગયા
જે દરમિયાન વડોદરા ઉતર્યા બાદ તેઓ ખાનગી ઇકો વાનમાં ગોધરા પરત આવી રહ્યા હતા. ત્યારે, માતાને ચા પીવાનું મન થતાં દીકરી કોમલને કહ્યું હતું કે, મારે ચા પીવી છે. જેથી દીકરી કોમલે રસ્તામાં ઇકોવાન ઊભી રાખી અને હંસાબેન ઠાકરને ચા પીવડાવી હતી. હંસાબેન ચા પીધા બાદ 'ઓમ નમઃ શિવાય' કહી ઊંઘી ગયા હતા.
દીકરીએ માતાને કાંધ આપી અંતિમક્રિયા કરી
આ દરમિયાન લગભગ ગોધરામાં આવી ગયા ત્યારે, દીકરીએ કહ્યું કે, મમ્મી ઘર આવી ગયું છે. પરંતુ, હંસાબેન કંઈ બોલચાલ ના કરતાં તેઓ ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક ખાનગી હોસ્પિટલના ડોક્ટરને ઘરે બોલાવી તપાસ કરાવી હતી. ડોક્ટરે ચેક કરતાં તેઓના ઘર પરિવારને કહ્યું કે, હંસાબેન ઠાકર હવે આ દુનિયામાં રહ્યા નથી. માતાના અચાનક અવસાન બાદ દીકરીએ પોતાની માતાને કાંધ આપી અંતિમક્રિયા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર માટે વાહનોના ઉપયોગ પર નિયમન કરવા જાહેરનામું બહાર પડાયુ
February 03, 2025 07:24 PMજામનગરમાં દિવ્યાંગ લોકોએ વિવિધ પડતર માંગણીઓને લઈ આપ્યો આવેદનપત્ર
February 03, 2025 07:18 PMધ્રોલ નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નં.4 માં કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા ભાજપનું દબાણ
February 03, 2025 07:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech