જામનગર મહાનગરપાલિકાના કર્મચારીએ આત્મવિલોપનની ચીમકી આપતા રાજકોટમાં પોલીસે કરી અટકાયત

  • March 28, 2024 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા એક કર્મચારી એ આત્મ વિલોપનની ચીમકી આપી હતી. આથી મહાનગરપાલિકા દ્વારા પોલિસ વિભાગ ને  જાણ કરવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ માંથી પોલીસે ગઇકાલે તેની અટકાયત કરી હતી. જેને આજે મુક્ત કરવામાં આવ્યો હતો.


જામનગર મહાનગરપાલિકા માં રોજમદાર કર્મચારી તરીકે ફરજ બજાવતા કેતન મિયાત્રા નામના કર્મચારી એ પોતાના ઉપરી  અધિકારી ઓ સામે કેટલાક આક્ષેપો કર્યા હતા. અને આ બાબતે મ્યુનિસિપલ કમિશનર ને માસ મોટો ફરિયાદ કરતો પત્ર પણ પણ લખ્યો હતો.  દરમિયાન શાખાના અધિકારી દ્વારા તેની ૧૦ દિવસ પહેલા  પમ્પ હાઉસ થી બેડી સંપ ખાતે બદલી કરવામાં આવી હતી.પરંતુ તે નવા ફરજ સ્થળે હાજર થયો ન  હતો. આ કર્મચારી રાજકોટ મા રહે છે.અને ત્યાં થી જામનગર સુધી અપડાઉન કરે છે.

આ દરમિયાન તેણે મ્યુનિ. કમિશનર ને  પત્ર લખી ને આત્મવિલોપન કરવાની ચીમકી પણ આપી હતી. જેનાં  અનુસંધાને જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર જિલ્લા પોલીસવડા ને આ બાબતની લેખિત પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી.આથી ગઇકાલે રાજકોટ પોલીસે તેની તેના ઘરે થી અટકાયત કરી હતી.અને આજે તેનો જમીન ઉપર છુટકારો થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application