અમિતાભ બચ્ચને અયોધ્યામાં ખરીધો રૂા.૧૪.૫ કરોડનો પ્લોટ

  • January 15, 2024 02:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમિતાભ બચ્ચન જેટલા સારા અભિનેતા છે તેટલો જ બુદ્ધિશાળી રોકાણકાર પણ છે. અયોધ્યાની વધતી જતી માંગને સમજીને તેમણે ત્યાં જંગી રોકાણ કયુ છે. રામ મંદિર 'પ્રાણ પ્રતિા' સમારોહ પહેલા અમિતાભ બચ્ચને અયોધ્યામાં ઘર બનાવવા માટે ૧૪.૫ કરોડનો પ્લોટ ખરીધો છે.

રિપોટર્સ અનુસાર, અમિતાભ બચ્ચને મુંબઈ સ્થિત ડેવલપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢાના ૭ સ્ટાર એન્કલેવ ધ સરયૂમાં એક પ્લોટ ખરીધો હતો. હાઉસ ઓફ અભિનંદન લોઢાએ અમિતાભ બચ્ચન વચ્ચેની લેવડ–દેવડથી પરિચિત લોકોને ટાંકીને મીડિયા અહેવાલમાં માહિતી આપી છે કે બચ્ચન અંદાજે ૧૦,૦૦૦ સ્કવેર ફટનું ઘર બનાવશે અને તેની કિંમત ૧૪.૫ કરોડ પિયા છે. ૨૨ જાન્યુઆરીએ પ્રોજેકટ સરયૂનું ઉધ્ઘાટન થશે જે દિવસે રામ મંદિર 'પ્રાણ પ્રતિા' સમારોહ યોજાશે. સરયૂ પ્રોજેકટ ૫૧ એકરમાં ફેલાયેલો છે.

આ પ્રોજેકટમાં પોતાના રોકાણ વિશે બોલતા અમિતાભ બચ્ચને કહ્યું કે અયોધ્યા એક એવું શહેર છે જે મારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. બીજી બાજુ, અભિનંદન લોઢાએ કહ્યું કે તેઓ બચ્ચનને સરયૂના પ્રથમ નાગરિક તરીકે આવકારે છે. આ પ્રોજેકટ રામ મંદિરથી લગભગ ૧૫ મિનિટ અને ઈન્ટરનેશનલ એરપોર્ટથી ૩૦ મિનિટ દૂર છે. આ એન્કલેવમાં બ્રુકફિલ્ડ ગ્રૂપના લીલા પેલેસ, હોટેલ્સ અને રિસોટર્સની ભાગીદારીમાં ફાઇવ સ્ટાર પેલેસ હોટેલ પણ હશે. આ પ્રોજેકટ માર્ચ ૨૦૨૮ સુધીમાં પૂર્ણ થવા જઈ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application