આજે મોડી રાત્રે લગભગ ૧:૩૦ વાગ્યે, ભારતીય વાયુસેનાએ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર હેઠળ આ હુમલો કર્યો, જેમાં ૨૬ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઓપરેશનમાં, ભારતીય સરહદથી જ સચોટ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેનાના કોઈપણ મથકને નિશાન બનાવવામાં આવ્યું ન હતું; કાર્યવાહી ફક્ત આતંકવાદી ઠેકાણાઓ પર કેન્દ્રિત રહી.
ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’નો પડઘો હવે પાકિસ્તાનની અંદર પણ સંભળાઈ રહ્યો છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતે આ સર્જિકલ સ્ટ્રાઈકમાં કેટલાક ખૂબ જ સંવેદનશીલ અને કુખ્યાત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા, જેમાં બહાવલપુરની જામી મસ્જિદ સુભાનઅલ્લાહનો પણ સમાવેશ થાય છે. જે જૈશ-એ-મોહમ્મદનું કથિત મુખ્યાલય છે. આ ઉપરાંત કોટલીમાં હિઝબુલ મુજાહિદ્દીનના તાલીમ કેન્દ્રનો પણ નાશ કરવામાં આવ્યો છે. આ એ જ સ્થળો છે જ્યાં વર્ષોથી હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા વૈશ્વિક આતંકવાદીઓ છુપાયેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના સત્યમ કોલોની મુખ્ય માર્ગ પર સ્થાનિકો દ્વારા રસ્તા રોકો આંદોલન
May 08, 2025 01:19 PMકાશ્મીરના લોકોએ કહ્યું અમે બેઘર થઈ ગયા પણ અમે ખુશ છીએ કે સેનાએ બદલો લીધો
May 08, 2025 12:46 PMકેશોદ પોલીસે સોનીની દુકાનોમાં ચોરી કરતી ત્રિપુટી ઝડપી
May 08, 2025 12:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech