અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલયનો વિવાદ સામે આવ્યો છે. શાળાના એક શિક્ષકે વિદ્યાર્થી આભા કાર્ડનું ફોર્મ ભરીને ન લાવતા માર માર્યો હતો. જેના કારણે તેને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. વિદ્યાર્થીના વાલીએ આ મુદ્દે ફરિયાદ કરતાં શાળાના સંચાલકો દ્વારા શિક્ષક પાસેથી માફીપત્ર લખાવ્યો છે. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.
શું છે સમગ્ર વિવાદ?
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં નાલંદા વિદ્યાલયના કિરીટ પટેલ નામના શિક્ષકે ધોરણ 9માં અભ્યાસ કરતાં કૌશલ દેસાઈ નામના વિદ્યાર્થીને ઢોરમાર માર્યો હતો. શિક્ષકના મારના કારણે વિદ્યાર્થીને ગળાના ભાગે ઈજા થઈ હતી. સમગ્ર મુદ્દે વિદ્યાર્થીના વાલીએ શાળાએ આવીને ફરિયાદ કરી હતી. બાદમાં શાળાએ માર મારનાર શિક્ષક પાસેથી માફીપત્ર લખાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ
નાલંદા વિદ્યાલયનો વિદ્યાર્થીને માર મારવાનો વિવાદ સામે આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. આ મામલે શાળામાં જઈને સ્થળ પર તપાસ કરશે. જેમાં શિક્ષકનું તેમજ વાલીઓનું નિવેદન નોંધવામાં આવશે. આ સિવાય શાળામાં હાજર સીસીટીવીની પણ તપાસ કરવામાં આવશે. જો આ સમગ્ર મુદ્દે વાલીનો દાવો સાચો નીકળશે અને શિક્ષકે માર માર્યો હશે, તો શિક્ષક સામે જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આભા કાર્ડનું ફોર્મ ન ભરતા માર્યો માર
મળતી માહિતી મુજબ, વિદ્યાર્થી શાળાએ આભા કાર્ડનું ફોર્મ ભરીને નહતો લાવ્યો જેથી, શિક્ષકે તેને માર માર્યો હતો. જોકે, અહીં એ પણ સવાલ ઊભો થઈ રહ્યો છે કે, શાળા દ્વારા વિદ્યાર્થીઓને ફરજિયાત આભા કાર્ડ ફોર્મ ભરવાનું કેમ કહેવામાં આવી રહ્યું છે? આ કામ શાળાના શિક્ષકોનું છે કે આરોગ્ય વિભાગનું? બીજી અગત્યની વાત એ છે કે, આભા કાર્ડ બનાવવું ફરજિયાત નથી તો બાળકો તેમજ વાલીને આ ફોર્મ ભરવા માટે મજબૂર કેમ કરવામાં આવે છે?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech