અમદાવાદઃ બાવળાની કેમિકલ કંપનીમાં દુર્ઘટના, ઝેરી ગેસ ગુંગળામણથી બે શ્રમિકોના મોત

  • March 27, 2025 09:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના બાવળા તાલુકાના ઢેઢાળ ગામમાં આવેલી શ્રી કેમિકલ કંપનીમાં એક દુઃખદ ઘટના બની છે. ટેન્કની સફાઈ કરવા ઉતરેલા બે શ્રમિકો ઝેરી ગેસની અસરથી ગુંગળાઈ જતાં તેમનાં મોત નીપજ્યાં હતાં.


પ્રાપ્ત માહિતી અનુસાર, કંપનીમાં ટેન્કની સફાઈનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે બે શ્રમિકો ટેન્કમાં ઉતર્યા હતા. ટેન્કમાં રહેલા ઝેરી ગેસના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓને બચાવી શકાયા નહોતા.


ઘટનાની જાણ થતાં બાવળા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટેન્કમાં ઝેરી ગેસની અસરને કારણે શ્રમિકોનાં મોત થયાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application