અમદાવાદમાં રથયાત્રા દરમિયાન દરિયાપુર વિસ્તારમાં ઘરની બાલ્કની તૂટી પડતાં એકનું મોત

  • June 20, 2023 11:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં આજે જગન્નાથની રથયાત્રા દરમિયાન એક દુર્ઘ઼ટના ઘટી હતી. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે. 


અમદાવાદ શહેરમાં આજે જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. જેમાં દરિયાપુર વિસ્તારમાં આજે એક દુર્ઘટના સર્જાઈ હતી. રથયાત્રાના રૂટ પર આવતા મકાનની અચાનક બાલકની તુટી પડતા 22 લોકોને ઈજા પહોચી હતી. ઈજા પહોચતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે પહોચાડવામાં આવ્યા હતા. જ્યાં એક વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે દરિયાપુરમાં જે મકાનની બાલ્કની તુટી હતી તે બાલ્કની ખીચોખીચો ભરેલી હતી.


દબાઈ જતાં એક વ્યક્તિનું મોત


જેમાં રથયાત્રાના દર્શન કરવા બાલ્કનીમાં ઉભેલા લોકો નીચે ખાબક્યા હતા. આ દરમિયાન દરિયાપુરમાં ખીચોખીચ ભરેલી ઘરની બાલ્કનીમાં દબાઈ જતા 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઘટના ઘટતા થોડો સમય અરેરાટી મચી જવા પામી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application