જામનગર નજીક નાઘુના ગામના આઘેડે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી

  • January 12, 2024 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તાલુકાના નાઘુના ગામમાં રહેતા આધેડ છેલ્લા ૨૫ વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા, અને એકલવાયા જીવનથી તંગ આવી જઇ, પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
જામનગર તાલુકાના નાઘુના ગામમાં ચામુંડા માતાજીના મંદિર પાસે રહેતા ભોજાભાઇ નારણભાઈ પારીયા નામના ૫૫ વર્ષના આધેડ, કે જેઓ છેલ્લા ૨૫ વર્ષથી માનસિક બીમારી થી પીડાતા હતા, અને છેલ્લા પાંચેક વર્ષથી એકલવાયું જીવન જીવતા હતા.
દરમિયાન તેણે પોતાની જિંદગીથી તંગ આવી જઇ ગઈકાલે પોતાના ઘેર દોરડા વડે ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના સંબંધી અરવિંદભાઈ સામતભાઈ પારિયાએ પોલીસને જાણ કરતાં પંચકોશી-બી  પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application