મહિલાના મૃત્યુ પછી રાજકોટની સિવિલ હોસ્પિટલની સ્કીન બેન્કમાં કરાયું ત્વચાદાન, ડોનેટેડ સ્કીન ટ્રોમા દર્દીઓ તેમજ બાયોલોજીકલ ડ્રેસિંગમાં બનશે ઉપયોગી

  • April 16, 2024 08:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકોમાં રક્તદાન તેમજ મૃત્યુ પછી અંગદાન અંગે જાગૃતિ આવી રહી છે, ત્યારે હવે અન્ય દર્દીઓને મદદરૂપ થવાની ઉમદા ભાવના સાથે અન્ય અંગો સાથે ત્વચાદાન પણ થવા લાગ્યું છે. રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલી સ્કીન બેન્કમાં સ્વ.પુષ્પાબહેન અનંતરાય દેસાઈનું ત્વચાદાન કરાયું હતું.


મળતી માહિતી પ્રમાણે સ્વ. પુષ્પાબહેન અનંતરાય દેસાઈ તા.13 એપ્રિલના રોજ અવસાન પામ્યાં હતાં. સ્વજનના મૃત્યુના આઘાત વચ્ચે પણ પરિવારે અન્ય દર્દીઓને મદદરૂપ થવાની ઉમદા ભાવના સાથે અંગદાન-ત્વચાદાનનો નિર્ણય કર્યો હતો. આથી તેમના પરિવારે પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે આવેલી સ્કીન બેન્કનો સંપર્ક કરતાં સ્કીન બેન્કની ટીમે મૃતકની સ્કીન હાર્વેસ્ટ કરીને સ્કીન ડોનેશનમાં મેળવી હતી.


આ સ્કીન ડોનેશનથી મેજર બર્ન્સના દર્દીઓ ઝડપથી રિવકર થશે. તથા આ સ્કીનનો ટ્રોમાના દર્દીઓ અને બાયોલોજીકલ ડ્રેસિંગ માટે પણ ઉપયોગ કરી શકાશે.


ઉલ્લેખનીય છે કે, ડોનેશનમાં મેળવેલી સ્કીન વ્યક્તિના મૃત્યુ બાદ 4 કલાકના સમયગાળામાં મેળવી ગ્લિસરોલમાં 4 અંશ સેલ્સિયસ તાપમાન પર સ્ટોર કરવાની હોય છે. આ સ્ટોર કરેલી સ્કીનનો ઉપયોગ 3 થી 4 વર્ષ સુધીમાં અને ગંભીર રીતે દાઝી ગયેલા કેસોના દર્દીઓ, ટ્રોમા દર્દીઓ તેમજ બાયોલોજિકલ ડ્રેસીંગ માટે ઉપયોગ કરી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application