શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી સગીરાને આજ વિસ્તારમાં રહેતો શખસ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. પોલીસે આરોપીને ઝડપી લઇ સગીરાને મુક્ત કરાવી હતી. બાદમાં સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા આરોપીએ તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું માલુમ પડ્યું હતું. જેી આરોપીની સઘન પૂછતાછ કરતા સગીરાને ભગાડી ગયા બાદ ઢાંક તરફ લઈ ગયો હતો અને અવારનવાર દુષ્કર્મ આચાર્યનું કબૂલ્યું હતું. જેી આ મામલે પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોકસો એકટની કલમનો ઉમેરો કરવા તજવીજ હા ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, સામાકાંઠા વિસ્તારમાં રહેતા આધેડે ગત તારીખ ૮/૬/૨૦૨૪ ના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેમની સગીરભાઈની દીકરીને કોઈ શખસ લલચાવી ફોસલાવી ભગાડી ગયા અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેી પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો. બનાવને લઇ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ કે.જે.કરપડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ કે.ડી.મારૂની રાહબરીમાં અલગ-અલગ ટીમો બનાવી તપાસ હા ધરી હતી. દરમિયાન પોલીસે મોબાઈલ નંબરના આધારે પણ તપાસ આગળ ધપાવી હતી.હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ જયદીપસિંહ બોરાણા અને ભાનુશંકરભાઇ ધાંધલાને મળેલી બાતમીના આધારે પોલીસે સગીરાને ભગાડી જનાર આરોપી અમન બનારસીભાઈ ગુપ્તા (ઉ.વ ૨૪ રહે. ભગીર સોસાયટી,સંતકબીર રોડ,રાજકોટ ) ને ઝડપી લઇ સગીરાને મુક્ત કરાવી હતી.
બાદમાં સગીરાનુ મેડિકલ ચેકઅપ કરાવતા તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું માલુમ પડ્યું હતું. જેી આ બાબતે આરોપીની સઘન પુછતાછ કરતા તે અહીંી સગીરાને ભગાડી ગયા બાદ ઢાંક પાસે લઈ ગયો હતો અને અહીં તેને સગીરાને રાખી હતી. આ દરમિયાન તેને અવારનવાર તેની સો શરીર સંબંધ બાંધ્યો હોવાની કબુલાત આપી હતી. જેી પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોકસો એક્ટનો ઉમેરો કરવા તજવીજ હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech