પરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫

  • February 24, 2025 05:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર સહિત સમગ્ર હાલારમાં બેવડી ઋતુના કારણે રોગચાળાનું પ્રમાણ વઘ્યું છે, જામનગર શહેરની વાત કરીએ તો સમગ્ર શહેરમાં મચ્છરોનો જાણે સામ્રાજય છવાઇ ગયુ હોય તેવુ વાતાવરણ જોવા મળી રહયુ છે, પરોઢીયે ઝાકળ અને બપોરે ઉનાળા જેવી ગરમી ધીરે ધીરે શરૂ થવા પામી છે.


કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ મહતમ તાપમાન ૩૩.૫ ડીગ્રી, લઘુતમ તાપમાન ૧૭.૫ ડીગ્રી, પવનની ગતિ ૨૫ થી ૩૦ કિ.મી. પ્રતિકલાક રહી હતી. 


બેવડી ઋતુથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધતા તાવ, મેલેરીયા સહિતના રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. છેલ્લા બે-ચાર દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટયું છે અને ભેજનુ પ્રમાણ ૬૭ ટકા નોંધાયુ છે. ગઇકાલે રવિવારે લઘુતમ તાપમાન ૧૬.૫, મહત્તમ તાપમાન ૩૩.૫ અને ભેજનું પ્રમાણ ૬૮ ટકા નોંધાયુ હતું.
​​​​​​​

ગઇકાલ સાંજથી તાલુકા મથકોમાં કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ગરમીનું જોર વધી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application