ચના જોર ગરમ છૂટા રહે તે માટે શંખજીરું ભેળવતા: ૫૫૦૦ કિલો જથ્થાનો નાશ

  • January 17, 2024 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વાદ શોખીનોનું શહેર રાજકોટ હવે ભેળસેળની રાજધાની બની ગયું છે રાજકોટ શહેરમાં વેચાતી કોઈ ખાધ ચીજ એવી નથી કે જેમાંથી હાલ સુધીમાં કયારેય ભેળસેળ મળી ન હોય દરમ્યાન આજે શહેરના આજીડેમ ચોકડી વિસ્તારમાંથી ચના જોર ગરમની લાયસન્સ વિના ધમધમતી એક ફેકટરી ઝડપાઈ હતી અને ત્યાં આગળ ચના જોર ગરમમાં શખં જી ભેળવતા હોવાનું બહાર આવતા અધિકારીઓ પણ ચોકી ઉઠા હતા. ચના એકબીજા સાથે ચોંટી ન જાય અને ક્રંચી રહે તે માટે ચના બનાવ્યા બાદ તેના ઉપર શખં જીનો છટકાવ કરતા હતા. શખં જીએ નોન એડીબલ વસ્તુ છે તે એક પ્રકારનો કોસ્મેટિક પાવડર છે કે જે ટેલકમ પાવડર વગેરેની બનાવટમાં વપરાશમાં લેવામાં આવતું હોય છે, જો માણસો તે આરોગે તેના આરોગ્યને નુકસાન થાય છે. વિશેષમાં આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી એ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, ફડ સેટી ઓફિસર કે. એમ. રાઠોડ, ફડ સેટી ઓફિસર કે. જે. સરવૈયા, ફડ સેટી ઓફિસર સી. ડી. વાઘેલા સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન દિનદયાળ ઇન્ડ. એરીયા, શેરી ન.ં ૬, આજીડેમ ચોકડી પાસે, રાજકોટ મુકામે આવેલ કલ્પેશભાઇ બડોખરીયા જિતેન્દ્રભાઈ ગુાની ઉત્પાદક પેઢી કલ્પેશ ટ્રેડર્સ જે.કે. સેલ્સ ની સ્થળ તપાસ કરવામાં આવેલ. સદરહત્પ પેઢીમાં દાબેલા ચણા, મગ, કઠોળ વગેરે નમકીનનું ઉત્પાદન કરી વેચાણ કરતાં હોવાનું માલૂમ પડેલ, તપાસ કરતાં પેઢીમાં ઉત્પાદન દરમિયાન ઉપયોગમાં લેવાતા પલાળેલ ચણા ફગ વાળા તેમજ અનહાઈજેનિક રીતે જમીન પર રાખેલ જોવા મળેલ તેમજ તેમાં શંખજીંનો ઉપયોગ કરેલ માલૂમ પડેલ જે પેઢીના ઉત્પાદકો દ્રારા સ્વીકારેલ. સદરહત્પ અખાધ્ય પલાળેલ ચણાનો સંગ્રહ કરેલ કુલ ૨૫૦૦ કિ.ગ્રા. જથ્થો માનવ આહાર માટે ફરીથી બજારમાં – વેચાણ ન થાય તે હેતુથી સ્થળ પર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ સ્થળ પર ફડ સેટી સ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.  વધુમાં તેમણે ઉમેયુ હતું કે ઉપરોકત સ્થળ ઉપરાંત સર્વેલન્સ ચેકિંગ દરમિયાન દિનદયાળ ઇન્ડ. એરીયા, શેરી ન.ં ૬, આજીડેમ ચોકડી પાસે, રાજકોટ મુકામે આવેલ અજયભાઇ છેદીલાલ ગુાની ઉત્પાદક પેઢી આશા ફડસ ની સ્થળ તપાસ કરવામાં આવેલ. સદરહત્પ પેઢીમાં દાબેલા ચણા, મગ, કઠોળ વગેરે નમકીનનું ઉત્પાદન કરી વેચાણ કરતાં હોવાનું માલૂમ પડેલ, તપાસ કરતાં પેઢીમાં ઉત્પાદન દરમિયાન ઉપયોગમાં લેવાતા પલાળેલ ચણા, દાબેલા મગ, પંજાબી સ્ટીક અનહાઈજેનિક રીતે જમીન પર રાખેલ જોવા મળેલ તેમજ તેમાં શંખજીંનો ઉપયોગ કરેલ માલૂમ પડેલ જે પેઢીના ફડ બિઝનેશ ઓપરેટરો એ સ્વીકારેલ. સદરહત્પ અખાધ્ય જણાયેલ કુલ મળી ૩૦૦૦ કિ.ગ્રા. જથ્થો માનવ આહાર માટે ફરીથી બજારમાં વેચાણ ન થાય તે હેતુથી સ્થળ પર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ સ્થળ પર ફડ સેટી સ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application