પરસેવો એ શરીરમાં એક કુદરતી પ્રક્રિયા છે, કારણ કે તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે, જેનાથી ત્વચા સ્વસ્થ રહે છે અને સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. જોકે, કેટલાક લોકોને પરસેવાના કારણે શરીરની વિચિત્ર દુર્ગંધની સમસ્યા રહે છે. તેની પાછળનું કારણ પરસેવો નથી પરંતુ તેનાથી ઉત્પન્ન થતા બેક્ટેરિયા છે. પરસેવાની દુર્ગંધ કોઈને પણ શરમાવે છે અને તેનાથી બચવા માટે લોકો અનેક પ્રકારના મોંઘા ડીઓડરન્ટ્સ અને પરફ્યુમનો ઉપયોગ કરે છે, પરંતુ જો આપણે પરસેવાના બેક્ટેરિયાનો સામનો કરવો હોય તો સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ સિવાય ડીઓડરન્ટને બદલે પાણીમાં કેટલીક પ્રાકૃતિક વસ્તુઓ ઉમેરીને સ્નાન કરવું જોઈએ.
સવારે સ્નાન કરતી વખતે પાણીમાં કેટલીક વસ્તુઓ નાખી દો છો, તો તેનાથી પરસેવાની દુર્ગંધથી તો છુટકારો મળશે જ પરંતુ દિવસભર તાજગીનો અનુભવ થશે. આ કુદરતી વસ્તુઓ એન્ટી-બેક્ટેરિયલ હોવા ઉપરાંત સારી સુગંધ પણ આપે છે.
ફટકડી ખૂબ જ અસરકારક
પરસેવાથી થતા બેક્ટેરિયા સામે લડવા માટે ફટકડી એક ઉત્તમ ઘટક છે. નહવાના પાણીમાં થોડો ફટકડીનો પાઉડર નાખીને મિક્સ કરો. તેમાં સુગંધ માટે આવશ્યક તેલ અથવા ગુલાબજળના થોડા ટીપાં ઉમેરી શકો છો. આ ત્વચાના ચેપથી પણ બચાવશે.
ખાવાનો સોડા રહેશે ફાયદાકારક
નહાવાના પાણીમાં ખાવાનો સોડા પણ ઉમેરી શકાય છે. જો પરસેવાની દુર્ગંધ ખૂબ પરેશાન કરતી હોય તો પાણીમાં બેકિંગ સોડાની પેસ્ટ બનાવીને અંડરઆર્મ્સ પર લગાવો. આનાથી તમે આખો દિવસ તાજગી અનુભવશો અને પરસેવાની દુર્ગંધથી પણ બચી શકશો.
ગ્રીન ટી અને લીંબુનો રસ
ગ્રીન ટી અને લીંબુ સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે ખૂબ જ ફાયદાકારક ઘટકો છે. પરસેવાથી આવતી દુર્ગંધથી છુટકારો મેળવવા માટે તમે નાહવાના પાણીમાં આ બે વસ્તુઓ મિક્સ કરી શકો છો. ગ્રીન ટીને ઉકાળો અને તેને નાહવાના પાણીમાં મિક્સ કરો, જ્યારે એક લીંબુનો રસ વાપરી શકાય છે. તેનાથી ત્વચાની શુષ્કતાથી પણ રાહત મળશે અને ત્વચાની અન્ય સમસ્યાઓ પણ દૂર રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech