ખંભાળિયામાં ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષને કેદ તથા દંડ

  • April 23, 2025 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખંભાળિયામાં રહેતા કમલેશભાઈ પાલાભાઈ વિંઝુડા દ્વારા આરોપી એ.ટી. ચાવડા એન્ડ કંપનીના પ્રોપરાઈટર અશોક તેજશીભાઈ ચાવડા (રહે. ભરાણા વાળા) પાસેથી અલગ અલગ ચેકોની મળી, કુલ રૂપિયા 15,82,000 ની રકમ લેવાની થતી હતી. જે રકમ આરોપીએ ન ચૂકવતા ખંભાળિયાની એડિશનલ ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ અશોકભાઈ ચાવડા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.


આ અંગેનો કેસ ચાલી જતા ફરિયાદી તરફે રજૂ કરવામાં આવેલા યોગ્ય પુરાવાઓ તેમજ વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવીને બે વર્ષની કેદની સજા ફટકારી હતી.


આટલું જ નહીં, રૂપિયા 15.82 લાખના પુરા વળતર અને રૂપિયા 1,52,800 ની રકમ ખર્ચ પેટે એક માસમાં ફરિયાદી કમલેશભાઈને ચૂકવી આપવા પણ હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ જે.એમ. સાગઠીયા, વાય.એમ. આરબાણી, એમ.બી. ચાવડા સાથે ફરહાન બ્લોગ, આફીદી સુમરા અને હરદેવસિંહ જાડેજા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application