મારામારીના ગુનાનો આરોપી નાઘેડીમાંથી પકડાયો

  • August 18, 2023 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર પેરોલ ફર્લો સ્કવોડ બાતમી આધારે ત્રાટકી

જામનગરના મારામારીના ગુનામાં અઢી વર્ષથી નાસતા ફરતા આરોપીને નાઘેડી પાસેથી જામનગર પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડયો હતો.
જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ જે.વી. ચૌધરીની સુચના મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એલ.જે. મિયાત્રા તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા અંગે જરુરી વર્કઆઉટમાં હતા.
દરમ્યાન સ્ટાફના ઘનશ્યામભાઇ ડેરાવાડીયા, ગોવિંદભાઇ ચૌહાણ, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચને બાતમી મળેલ કે જામનગર સીટી-એ ડીવીઝનના  કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી કુલદીપસિંહ ઉર્ફે લાલો ઢીંગલી નટુભા પરમાર રહે. ખોડીયાર કોલોની જામનગરવાળો હાલ જામનગર-દ્વારકા હાઇવે રોડ પર નાઘેડી ગામના પાટીયાથી નાઘેડી જતા રોડ પર હાજર છે.
તે મુજબની માહીતી આધારે તપાસ કરતા નાસતો ફરતો આરોપી કુલદીપસિંહ ઉર્ફે લાલો ઢીંગલી મળી આવતા પકડી પાડી સીટી-એ ડીવીઝન ખાતે જરુરી કાર્યવાહી માટે સોપી આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application