પોરબંદરમાં ચેક રિટર્ન ના કેસમાં બાર વર્ષે આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે. છાંયા મુકામે રહેતાં ભરતભાઈ મનસુખલાલ થાનકીએ સને ૨૦૧૨ માં આરોપી રામભાઈ વિરમભાઈ ઓડેદરા સામે હાથ ઉછીની આપેલ રકમ ા.ર,૪૦,૦૦૦/- પરત મેળવવા દીધેલ ચેંક વણ ચુકવ્યો પરત થતાં એન.આઈ.એકટ મુજબ પોરબંદર કોર્ટમાં ધોરણસર ફરિયાદ આપી જણાવેલ કે, આરોપીને પૈસાની જર પડતાં ા.૨,૪૦,૦૦૦/- આપેલા અને આરોપીએ જણાવેલ કે ‘સીમર ગામે આવેલ જમીન વહેંચાઈ જશે ત્યારે રકમ પરત આપી દઈશ’. ત્યારબાદ જમીન પણ વેંચાણ થઈ ગયેલ અને ફરીયાદીને આરોપીએ પોતાના ખાતાનો સ્ટેટ બેક ઓફ સૌરાષ્ટ્ર શાખાનો તા: ૦૭-૦૫-૨૦૧૨ નો ચેંક આપેલો અને ચેક આપતી વખતે વચન, વિશ્ર્વાસ અને ખાત્રી આપેલ કે ચેંક બેંકમાં વટાવા નાખ્યાથી રકમ મળી જશે.
આમ, ફરીયાદી ભરતભાઈ થાનકીએ આરોપી રામભાઈ ઓડેદરાને આપેલ ચેક બેંકમાં વટાવા નાખ્તા, ચેંક અપુરતા ભંડોળના કારણે પરત ફરતાં ફરીયાદીએ તેઓના વકીલ મારફતે આરોપીને નોટીશ આપેલ અને આરોપીએ નોટીશ મળી જવા છતાં કોઈ રકમ આપેલ ન હોય, જેથી કોર્ટમાં ફરીયાદ દાખલ કરી તે સાથે ચેંક, નોટીશ, બેંકનો રીટર્ન મેંમો, વિગેરે આધાર પુરાવા સાથે ફરીયાદ દાખલ કરતાં કોર્ટે આરોપી રામ વિરમ ઓડેદરાને સમન્સ કરી કોર્ટમાં હાજર રહેવા ફરજ પાડતાં આરોપી તેઓના વકીલ સાથે કોર્ટમાં હાજર થયેલા અને તેઓએ કોઈ ગુન્હો કર્યાનો ઈન્કાર કરતાં કેસની ટ્રાયલ ચાલેલ અને ચાલુ ટ્રાયલે ફરીયાદી ભરતભાઈ મનસુખભાઈ થાનકીનું અવસાન થતાં તેમના વતી હંસાબેન મનસુખલાલ થાનકી વારસદાર તરીકે કેસ ચલાવતાં કેસની ટ્રાયલ ચાલી જતાં બન્ને પક્ષે વકીલો દ્વારા પોત પોતાનો કેસ રાખવા માટે દલીલો કરવામાં આવેલી.આમ, બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી રામભાઈ વિરમભાઈ ઓડેદરાને એન.આઈ.એકટની કલમ ૧૩૮ મુજબના શીક્ષાપાત્ર ગુન્હામાંથી શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ જાહેર કરેલો હતો. આ કામમાં આરોપી પક્ષે પોરબંદરના વકીલ જે.પી. ગોહેલની ઓફીસ તરફથી એમ.જી.શિંગરખીયા, એન.જી.જોષી, એમ.ડી.જુંગી, વી.જી.પરમાર, રાહુલ એમ. શિંગરખીયા, જિજ્ઞેશ ચાવડા, મયુર સવનીયા તથા પંકજ બી. પરમાર રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech