વારાણસીમાં ૩૦ વર્ષ બાદ ફરી એકવાર એ સવાર પાછી આવી ગઇ યારે જ્ઞાનવાપીના 'વ્યાસ કા તહેખાના' માં ઘંટના અવાજ સાથે આરતી ગૂંજતી હતી. જિલ્લા કોર્ટના ચુકાદા બાદ જ્ઞાનવાપી મસ્જિદના પરિસરના વ્યાસના તહેખાનામાં અડધી રાતે ૨ વાગ્યે પૂજા થઇ હતી. અહીં ૩૦ વર્ષ પહેલાં પૂજા કરવા પર રોક લગાવી દેવામાં આવી હતી.
કોર્ટના આદેશ બાદ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આવેલા વ્યાસના તહેખાનાની બહાર ગઈકાલે મોડી રાતે અચાનક હલચલ વધવા લાગી હતી અને રાતે ૧૦ વાગ્યે વારાણસીના જિલ્લાધિકારી અને ડીઆઈજી જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં પહોંચી ગયા હતા. ત્યારબાદ ત્યાં બેરિકેડ હટાવાયા તથા પરિસરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. રાતે ૨ વાગ્યે પોલીસ કમિશનર અને જિલ્લાધિકારી એકસાથે બહાર નીકળ્યા અને કહ્યું કે કોર્ટના આદેશનું પાલન કરી દેવાયું છે.
પોલીસ કમિશનર અશોક મુથાએ કહ્યું કે કોર્ટના આદેશ અનુસાર રસ્તો તૈયાર કરવા, બેરિકેડિંગ હટાવવાની સાથે સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ મામલે હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરનારા વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે એસજીએ કોર્ટના આદેશનું પાલન કયુ છે. કેવીએમ ટ્રસ્ટના પૂજારી દ્રારા પ્રતિમા સ્થાપિત કરાયા બાદ શયન આરતી કરવામાં આવી હતી. તેની સામે અખડં યોત પ્રવળીત કરાઈ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધોનીએ સલમાન ખાન સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 43મો બર્થ ડે, જુઓ વિડીયો
July 07, 2024 11:53 AM'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AM4 સાથીઓના મોત બાદ આતંકવાદીઓએ રાજૌરીમાં આર્મી કેમ્પ પર કર્યો હુમલો, એક જવાન ઘાયલ
July 07, 2024 10:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech