રામ મંદિરમાં હવે દરરોજ છ વખત રામલલ્લાની આરતી થશે

  • January 23, 2024 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રામલલાની પ્રતિા પછી તેમની પૂજા અને આરતીમાં પણ ફેરફાર થયો છે. સમગ્ર પદ્ધતિ વ્યવસ્થિત કરવામાં આવી છે. હવે રામલલાની અષ્ટ્રમ સેવા ૨૪ કલાકના તમામ આઠ કલાકમાં યોજાશે. આ ઉપરાંત છ વખત રામલલાની આરતી કરવામાં આવશે. આરતીના દર્શન માટે પાસ આપવામાં આવશે. અત્યાર સુધી રામલલાની ૩ આરતીઓ હતી. રામલલાના પૂજારીઓના પ્રશિક્ષક આચાર્ય મિથિલેશનંદિની શરણે કહ્યું કે, હવે રામલલાની મંગળા, શ્રૃંગાર, ભોગ, ઉત્થાપન, સાંજ અને શયન આરતી થશે. શકય છે કે પૂજારી પોતે ઉત્થાપન આરતી કરે અને પછી દર્શન માટે પડદો ખોલે. આ અંગે ટ્રસ્ટ જ જાહેરાત કરશે.
મંગળા આરતીનો અર્થ ભગવાનને જગાડવા માટે છે. તેઓને શ્રૃંગાર આરતીમાં શણગારવામાં આવે છે. ભોગ આરતીમાં પુરી–સબ્જી–ખીર ચઢાવવામાં આવે છે. રામલલાની ખરાબ નજર દૂર કરવા ઉત્થાપન આરતી કરવામાં આવે છે. સાંજે સંધ્યા આરતી કરવામાં આવે છે અને પછી ભગવાનને સૂતા પહેલા શયન આરતી કરવામાં આવે છે.

બપોરે દર કલાકે ભોગ ધરાવવામાં આવશે

બપોરે પુરી–સબ્જી, રબડી–ખીર ઉપરાંત દર કલાકે રામલલાને દૂધ, ફળો અને પેંડા ચઢાવવામાં આવશે. રામ લલ્લા સોમવારે સફેદ, મંગળવારે લાલ, બુધવારે લીલો, ગુવારે પીળા, શુક્રવારે ક્રીમ, શનિવારે વાદળી અને રવિવારે ગુલાબી વક્રો પહેરશે. ખાસ દિવસોમાં તેઓ પીળા વક્રો પહેરશે.

દરરોજ સવારે ૬:૦૦ વાગ્યાથી દર્શન થશે

નવા મંદિરમાં સવારે ૩:૩૦ થી ૪:૦૦ વાગ્યે પૂજારી રામલલાને મંત્રોચ્ચારથી જગાડશે, ત્યારબાદ મંગળા આરતી થશે. શ્રૃંગાર આરતી ૫:૩૦ કલાકે શ થશે અને ૬ કલાકે દર્શન શ થશે. બપોરે મધ્યા઼ ભોગ આરતી થશે. ત્યારબાદ ઉત્થાપન, સાંજની આરતી અને ભગવાનને શયન કરાવતી વખતે શયન આરતી થશે. આ પહેલીવાર હશે યારે રામ લલ્લાનો પ્રસાદ તમામ પ્રમાણભૂત પદ્ધતિઓ અનુસાર કરવામાં આવશે. ૪૦ દિવસ સુધી દરરોજ રામલલાનો બાકીનો અભિષેક થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application