શંકરટેકરીમાં રહેતા યુવાનનો ગળાફાંસા દ્વારા આપઘાત

  • September 07, 2024 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દારૂ પીવાની ટેવના કારણે પરિવાર છોડીને ચાલ્યો જતાં આપઘાત કર્યાનું સુસાઇડ નોટના માધ્યમથી જાણવા મળ્યું


જામનગરમાં શંકર ટેકરી વાલ્મિકી વાસ માં રહેતા એક યુવાને ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ને મૃતકના હાથે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં પોતે દારૂ પીવાની ટેવ વાળો હોવાથી પરિવાર છોડીને ચાલ્યો જતાં આ પગલું ભરી લીધેલું અને પરિવારની માફી માંગી હોવાનું જાણવા મળ્યું છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી વાલ્મિકી વાસમાં રહેતા કારાભાઈ બાબુભાઈ વાઘેલા નામના ૪૦ વર્ષ ના યુવાને આજે બપોરે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે મામલે પોલીસને જાણ થતાં સીટી સી. ડિવિઝન ના એએસઆઈ ફિરોજભાઈ દલ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસને મૃતકના હાથે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેણે પરિવારજનોની માફી માંગી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં પોતે દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી તેનો પરિવાર છોડીને ચાલ્યો ગયો હતો, અને એકલવાયું જીવન જીવતો હતો. જે જીવનનો અંત લાવી દેવા માટે આ પગલું ભર્યું હોવાનું પોલીસે તારણ કાઢ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application