કેન્સરની બિમારીથી ત્રસ્ત સિહોરના યુવાનનો તળાવમાં ઝંપલાવી આપઘાત

  • March 27, 2025 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લાના સિહોર ખાતે રહેતા યુવાને  બે વર્ષથી કેન્સરની બિમારીથી કંટાળીને ગૌતમેશ્વર તળવામાં ઝપલાવી આત્મહત્યા કરી લેતા ભારે ચક્ચાર મચી  હતી. 
સિહોર ખાતે રહેતા ૨૮ વર્ષિય ઇનાયતભાઈ હાજીભાઈ ચુડેસરા, નો મૃતદેહ  સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી  મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. સિહોરના ઇનાયતભાઈ ચુડેસરાએ   ઘરેથી નિકળી જઈ તળાવમાં ઝંપાલાવતા મોત થયું હતું. બનાવની જાણ થતાં સિહોર પોલીંસ તેમજ મુસ્લીમ સમાજના યુકાનોએ  ઘટના સ્થળે પહોંચી  તળાવમાં કુદી ઇનાયતભાઈના મૃતદેહને  સિહોર સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે મોકલી આપી હતી. સિહોર પોલીસની તપાસમાં મૃતકના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, ઈનાયતભાઈને છેલ્લા બે વર્ષથી કેન્સરની બિમારી હતી જેમાં દવા ખાઈને કંટાળી ગયો હોય જેને લઈને આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું હોવાનું જણાવ્યું  હતું.  આ બનાવ અંગે સિહોર પોલીસે આગળની તાપસ હાથ ધરી હતી. ઈનાયતભાઈ તેના ભાઈ સાથે સિહોરમાં રહી ફ્રુટની લારી ચલાવતા હતા અને પિતાનું  અવસાન થયાનું તપાસમાં ખુલ્યું હતું. હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application