કાળીયાબીડના યુવાન પર સામાન્ય બાબતે ચાર શખ્સે હુમલો કરી છરી મારી

  • August 14, 2024 04:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


    


શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં કપચી ભરેલો ટ્રક કાદવમાં ફસાઈ જતા યુવાન ઈંટોના ટુકડા નાખી રહ્યો હતો ત્યારે ચાર શખ્સોએ ગાળો બોલી મુંઢ માર મારી છરી વડે હુમલો કયર્નિી ફરિયાદ નોંધાવાઈ હતી.
શહેરના કાળીયાબીડ વિસ્તારના સાગવાડી, પ્લોટ નંબર 35/244માં રહેતા અને ટ્રાન્સપોટેશનના વ્યવસાય સાથે સંકળાયેલા અતુલભાઈ અશોકભાઈ ખેરડીયા(ઉ. વ. 35)એ ઘોઘા રોડ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે પોતે ટ્રક લઈ શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં બાંધકામની સાઈટ પર કપચી ખાલી કરવા ગયા હતા ત્યારે ટ્રકનું ટાયર કાદવમાં ફસાઈ જતા પાસે પડેલા ઈંટોના ટુકડા નાખી રહ્યા હતા ત્યારે ઘનશ્યામસિંહ જાડેજાનો પુત્ર અને તેના 3મિત્રોએ પોતાને ગાળો બોલી મુંઢ ઇજાઓ પહોંચાડી છરી વડે હુમલો કરી નાસી છૂટ્યા હતા. અતુલભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે ઘોઘા રોડ પોલીસે ગુનો નોંધી બનાવની તપાસ હાથ ધરી છે.
    




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application