રણજીતનગરમાં સાંઈ ગેંગના કુખ્યાત શખ્સનો આંતક : બે સિંધી વેપારીને મરણતોલ માર મારતા સારવારમાં ખસેડાયા

  • April 01, 2025 11:22 AM 

જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં સાંઈ ગેંગના કુખ્યાત શખ્સનો આંતક ફરી સામે આવ્યો છે. બે સિંધી વેપારીને મરણતોલ માર મારતા જીજી હોસ્પીટલ સારવારમાં ખસેડાયા હતા. પ્રાથમિક જાણવા મળતી વિગતો મુજબ જામનગરના રણજીતનગર નેવીલ પાર્કમાં ફ્રુટની લારી ચલાવતા ભરત ભખ્ખડ અને પવન હરવાડા નામના બે ભાઈઓ પર સાઇ ગેંગના હિતેશ દુલાણી સહિતના કુખ્યાત શખ્સ દ્વારા હુમલો કરાયો હતો. બંન્ને ઈજાગ્રસ્ત સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે પોલીસ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News